rashifal-2026

Chanakya Niti : જીવનને સુખી બનાવવું હોય તો આચાર્ય દ્વારા જણાવવામાં આવેલી આ 5 વાતો ક્યારેય ભૂલશો નહીં

Webdunia
મંગળવાર, 10 જાન્યુઆરી 2023 (00:34 IST)
આચાર્ય ચાણક્યએ તેમના પુસ્તક નીતિ શાસ્ત્રમાં એવી ઘણી વાતો કહી છે, જે આજે પણ લોકોને માર્ગદર્શન આપે છે. અહીં જાણો આવી જ 5 વસ્તુઓ વિશે, જે વ્યક્તિના જીવનને ખુશ કરવામાં મદદરૂપ થાય છે.
 
1. તમારા પ્રિયજનો સાથે ક્યારેય દગો ન કરશો. ચાણક્ય નીતિ કહે છે કે જે લોકો પોતાના પ્રિયજનો સાથે દગો કરીને અન્ય સમાજમાં ભળી જાય છે, તેમનો વિનાશ નિશ્ચિત છે. તેથી હંમેશા તમારા પ્રિયજનો પ્રત્યે વફાદાર રહો. ખરાબ સમયમાં તમારા જ લોકો તમારી પડખે ઉભા રહે છે.
 
2. ચાણક્ય નીતિ કહે છે કે વ્યક્તિ કદથી નહીં પણ તેના મહાન કાર્યોથી મોટો અને શક્તિશાળી હોય છે. તેથી, કોઈપણ કાર્ય કરતા પહેલા, વ્યક્તિએ પોતાને ઉદ્દેશ્ય તરફ નિર્ધારિત કરવું જોઈએ અને તે કાર્ય કરવા પર  પૂરો ભાર મૂકવો જોઈએ, તો જ સફળતા પ્રાપ્ત થઈ શકે છે. ઠીક એ જ રીતે જેમ કડકડતી વીજળી પર્વતને તોડી નાખે છે, જ્યારે તે પર્વત જેટલો મોટો નથી. એક નાનો દીવો અંધકારનો નાશ કરે છે, જ્યારે તે અંધકારથી મોટો નથી.
 
3. વ્યક્તિ પાસે જે પણ પર્યાપ્ત છે, તેણે ચોક્કસપણે તેનું દાન કરવું જોઈએ. જે વ્યક્તિ ફક્ત પોતાના વિશે વિચારીને વસ્તુઓને પોતાની પાસે રાખે છે, તે પોતે તે વસ્તુના આનંદથી વંચિત રહે છે અને અંતે ખાલી હાથે રહે છે. જેમ મધમાખીઓ મધ ભેગી કરતી રહે છે, પરંતુ અંતે તેમની પાસે કંઈ નથી.
 
4. જો તમારે ખુશ રહેવું હોય તો તમારા પ્રિયજનો પ્રત્યે ઉદાર વલણ રાખો, વડીલો પ્રત્યે નમ્રતા રાખો, સારા લોકો પ્રત્યે પ્રેમ રાખો અને દુશ્મનો સામે હિંમત રાખો.
 
5. આચાર્ય ચાણક્યનુ માનવુ હતુ કે ઉદારતા, શબ્દોમાં મધુરતા, હિંમત, આચરણ માં સમજદારી વગેરે જેવા ગુણો પ્રાપ્ત કરી શકાતા નથી. આ વ્યક્તિના મૂળમાં હોય છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચૂંટણી પંચે SIR અંગે મોટો નિર્ણય લીધો, 6 રાજ્યોમાં સમયમર્યાદા લંબાવવામાં આવી

ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાન પ્રત્યે દયાળુ છે, તેમણે 61,94,54,48,287 ના સોદા પર મહોર મારી છે; શું આ ભારત માટે ચિંતાનું કારણ છે?

નરેન્દ્ર મોદી પછી કોણ બનશે પીએમ ? આ સવાલ પર શુ બોલ્યા RSS પ્રમુખ મોહન

ભારત-ચીન બોર્ડર પાસે મોટી દુર્ઘટના, ખીણમાં ખાબકી મજૂરોને લઈને જઈ રહેલી ટ્રક, 17 લોકોના મોતના સમાચાર

ગુજરાત, મઘ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિત 7 રાજ્યો માટે વધારવામાં આવી SIR ની તારીખ, ચૂંટણી પંચે જાહેર કર્યો આદેશ

વધુ જુઓ..

ધર્મ

શ્રી લક્ષ્મી સૂક્ત પાઠ/ શ્રી સૂક્ત પાઠ ગુજરાતી

શિવ પંચાક્ષર સ્તોત્ર

Shiv Chalisa Video - શિવ ચાલીસા વાંચો ગુજરાતીમાં

Aditya Hrudayam Lyrics In Gujarati - આદિત્ય હૃદય સ્તોત્રમ્‌ નો પાઠ

Ganesh Chalisa - ગણેશ ચાલીસા

આગળનો લેખ
Show comments