Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં લઈ આવો લાકડીની વાંસળી.. સુખ સંપદા આપમેળે જ આવી જશે

Webdunia
બુધવાર, 6 એપ્રિલ 2016 (14:11 IST)
દુનિયાનો દરેક વ્યક્તિ એ જ ઈચ્છે છે કે તેના ઘરમાં સદા સુખ-શાંતિ કાયમ રહે. ઘરના બધા સભ્ય સ્વસ્થ અને ખુશહાલ જીવન જીવે. ધન અને અન્નની કોઈ કમી ન રહે. પણ ક્યારેક ને ક્યારેક એક નજીવા કારણોસર અજાણતા જ કંઈક ને કંઈક સમસ્યા આવી જ જાય છે.  અને તમે માનો કે ન માનો પણ આ સમસ્યાઓનુ જડ ક્યાક ને ક્યાક તમારા ઘરમાં જ પહેલાથી હાજર નકારાત્મક ઉર્જા જ હોય છે. જે કારણસર ન સમસ્યાઓ દૂર થાય છે કે ન તો તેની જાણ થઈ શકે છે.  જો તમને પણ આવી જ કેટલીક સમસ્યાઓ સામે લડવુ પડે છે તો આજે જ તમે તમારા ઘરમાં એક લાકડીની વાંસળી લઈ આવો. આ વાસ્તુ અને સકારાત્મક ઉર્જાનો ખૂબ જ સટીક ઉપાય છે. 
 
એવુ માનવામાં આવે છે કે જે ઘરમાં વાંસળી સ્થાપિત કરવામાં આવે છે એ ઘરમાં ભગવાન શ્રીકૃષ્ણનો વાસ હોય છે અને તેમની ઉપસ્થિતિ જે ઘરમાં હોય ત્યા ક્યારેય સુખ સમૃદ્ધિ અને સૌહાર્દ ન હોય એવુ બની જ નથી શકતુ. ભગવાન પ્રેમના પ્રતીક છે આ કારણથી ઘરના સભ્યોમાં પણ પરસ્પર પ્રેમ કાયમ રહે છે.  શાસ્ત્રો અને વાસ્તુનુ માનીએ તો હર્ષ ઉલ્લાસને જીવનારા પ્રભુ શ્રીકૃષ્ણને વાંસળીથી સદૈવ ખૂબ જ વધુ પ્રેમ રહ્યો છે.  આ જ કારણે વાંસળીને પવિત્ર, શુભ, શાંતિ અને સમજદારીનું પ્રતિક સમજવામાં આવે છે. વાંસળીથી નીકળતો સ્વર પ્રેમ વર્ષા કરે છે. તેથી જે ઘરમાં વાંસળી હોય છે તેના સ્વર ગુંજતા રહે છે અને એ ઘરમાં પ્રેમ અને ઉત્સાહની કોઈ કમી નથી રહેતી. તો જો તમારા ઘરમાં પણ આવી સમસ્યાઓ મંડરાય છે તો ઘરમાં વાંસળી નથી તો તમારી આગામી શોપિંગ લિસ્ટમાં વાંસળીનો સમાવેશ જરૂર કરી લો. અને કોશિશ કરો કે વાંસળી લાકડીની હોય જેનાથી વધુ અને યોગ્ય લાભ પ્રાપ્ત થઈ શકશે. આશા કરીએ છીએ કે વાસ્તુનો આ ઉપાય તમારા ઘરમાં સદા ખુશીનો ધ્વનિ ફેલાવતો રહેશે. 

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

Show comments