Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૈસા, વેપાર કે ધન સંબંધિત સમસ્યાઓ માટે અપનાવો આ ટોટકા

Webdunia
બુધવાર, 22 ઑગસ્ટ 2018 (09:19 IST)
- જો વ્યાપાર સારી રીતે ના ચાલી રહ્યો હોય તો શનિવારે લીંબુનો આ ઉપાય કરવો. તેના માટે એક લીંબુને દુકાનની ચારે દીવાલોથી અડાડીને એના ચાર ટુકડા કરો 
 
અને ચાર રસ્તા પર જઈને ચારે દિશાઓમાં એક-એક લીંબુનો ટુકડો ફેંકી દો. આમ કરવાથી દુકાન-વ્યાપાર સ્થળની નકારાત્મક ઊર્જા નષ્ટ થઈ જશે.
 
- ઘરની નકારાત્મક ઊર્જા દૂર કરવા માટે ઘરમાં લીંબુનું ઝાડ વાવી શકાય છે. લીંબુનાં ઝાડથી આસપાસનું વાતાવરણ સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહે છે. ઘરના 
 
આંગણાંમાં લીંબુનું વૃક્ષ હોવાથી ઘરનો વાસ્તુ દોષ પણ દૂર થાય છે.
 
- ઘરમાંથી બીમારી દૂર કરવા માટે એક આખું લીંબુ લઈ તેના ઉપર કાળી શ્યાહિથી 307 લખવું, આ લીંબુને બીમાર વ્યક્તિના માથા પરથી ઊંધી દિશામાં 7 વખત 
 
ફેરવવું અને તેમાં ચાર કાપા પાડવા. આ લીંબુ કોઈ નિર્જન સ્થળે ફેંકી આવવું.
 
- તિજોરીને ધનથી ભરેલી રાખવા માટે તેમાં કુબેર યંત્ર અવશ્ય રાખવું. કુબેર યંત્રની પૂજા કરી તેને તિજોરીમાં શુભ મુહૂર્તમાં રાખવું. કુબેર યંત્રના કારણે વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે.
 
- ખંડિત ન હોય તેવું ભોજપત્ર લઈ તેના પર મોરના પીંછાની મદદથી ચંદન વડે શ્રી લખવું. આ ભોજપત્ર તિજોરીમાં રાખી દેવું. આ ઉપાય કર્યાના થોડા જ દિવસોમાં લાભની અનુભૂતિ થવા લાગશે.
 
- ગણેશ પૂજામાં જે સોપારીનો ઉપયોગ થયો હોય તેની પૂજા કરી અને તેને પણ સિક્કા પર સ્થાપિત કરી તિજોરીમાં પધરાવી શકાય. તિજોરીમાં રાખતી વખતે તિજોરી પર નાડાછડી અવશ્ય બાંધવી.

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments