Webdunia - Bharat's app for daily news and videos

Install App

દરરોજ મંદિરમાં આ ચઢાવવાથી ચમકી જશે તમારુ ભાગ્ય

Webdunia
શુક્રવાર, 27 જાન્યુઆરી 2017 (17:57 IST)
ભગવાનને પ્રસન્ન કરવા માટે લોકો પૂજા અર્ચના કરે છે. આમ તો ભગવાનની પૂજા કરવાનો કોઈ દિવસ કે સમય હોતો નથી.  પૂરા મનથી ક્યારેય ભગવાનની પૂજા કરી શકાય છે. લોકો પૂજા સાથે ભગવાનને ખુશ કરવા માટે અનેક વસ્તુઓ અર્પિત કરે છે. એવુ કહેવાય છેકે મંદિરમાં દરેક વાર મુજબ પ્રસાદ ચઢાવાથી ભગવાન ખુશ થાય છે અને દુર્ભાગ્ય દૂર થાય છે. આવો જાણીએ કે દરેક વારે મંદિરમાં તમારે શુ ચઢાવવુ જોઈએ. 
 
- રવિવારનો દિવસ વિષ્ણુ અને શ્રીકૃષ્ણનો હોય છે. આ દિવસે મંદિરમાં જઈને પીળી દાળ, દૂધથી બનેલી કોઈ વસ્તુ ભગવાનને ચઢાવવાથી ભાગ્ય ચમકે છે અને દુર્ભાગ્ય દૂર થઈ જાય છે. 
 
- સોમવારનો દિવસ શિવજીનો દિવસ હોય છે. એવુ કહેવાય છે કે આ દિવસે મંદિરમાં જઈને ભગવાન શિવ સામે સફેદ ફૂલ અને રુદ્રાક્ષ ચઢાવવાથી બગડેલા કામ બની જાય છે. એવુ કહેવાય છે કે આવુ કરવાથી રોકાયેલા કામ પૂરા થઈ જાય છે. 
 
- મંગળવારનો દિવસ હનુમાનજીનો દિવસ હોય છે.  આ દિવસે પવન પુત્ર હનુમાનને લાલ મસૂર અને ગોળ ચઢાવવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. 
 
- બુધવારનો દિવસ ભગવાન ગણેશનો હોય છે.  આ દિવસે મંદિરમાં જઈને ગણેશજીને ઘરમાં બનેલા લાડુનો ભોગ લગાવો. તેનાથી તમારા પ્રમોશનના અનેક અવસર મળશે અને તમે નવી ઊંચાઈઓ પર પહોંચશો. 
 
- ગુરૂવારનો દિવસ ગુરૂનો હોય છે. આ દિવસે ભગવાનને કોઈપણ પીળી વસ્તુ ચઢાવવાથી આવકમાં વધારો થાય છે. 
 
- શુક્રવારનો દિવસ મા લક્ષ્મીનો હોય છે. આ દિવસે માતાના મંદિરમાં ખીર અને ખીચડી ચઢાવવાથી ઘરમાં લક્ષ્મી આવે છે અને આર્થિક તંગીથી છુટકારો મળે છે. 
 
- શનિવારનો દિવસ શનિ ભગવાનનો હોય છે. આ દિવસે ભગવાનને સરસવનુ તેલ ચઢાવો તેનાથી તમને સફળતા મળશે અને અશુભ પ્રભાવોથી છુટકારો મળશે.  

પોઈચા બાદ મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડેલા 3 તરુણો ડૂબી ગયા,ચાર જણા બચી ગયા

NAFED ડિરેક્ટરની ચૂંટણીમાં મોહનભાઈ કુંડારિયા બિનહરીફ, 4 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા

સુરતમાં 70 લાખની મર્સિડીઝ લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ

ચારધામ યાત્રામાં અસંખ્ય ગુજરાતીઓ ફસાયા

રાજકોટમાં મનોકામના પૂર્ણ નહીં થતાં માજી સરપંચે રામદેપીર અને મેલડી માતાનું મંદિર સળગાવ્યુ

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

10 મે નું રાશીફળ - આજે અખાત્રીજના દિવસે આ રાશિઓની ચમકી જશે કિસ્મત

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

ઘરનો મુખ્ય દરવાજો ખોલતા દેખાય આ 7 વસ્તુઓ તો ઘરમાં ઉભો થઈ શકે છે વાસ્તુ દોષ

આગળનો લેખ
Show comments