Festival Posters

ઘરે જ બનાવો કાજુ કતરી

Webdunia
મંગળવાર, 31 મે 2016 (16:43 IST)
કાજૂ કતરી બનાવવા માટે સામગ્રી - 200 ગ્રામ કાજૂ, 100 ગ્રામ ખાંડ અને બે ચમચી ઘી. ચાંદીની વરખ જરૂર હોય તો. પાણી એક કપ. 
 
બનાવવાની રીત - સૌ પહેલા કાજૂને સાફ કરી થોડા સુકાવી લો પછી તેને વાટીને તેનો પાવડર બનાવી લો.  એક કઢાઈમાં એક કપ પાણી નાખી તેને ઉકાળો પછી તેમા ખાંડ નાખીને સારી રીતે ઉકળવા દો. તેને સતત  હલાવતા રહો. જેનાથી ખાંડ કઢાઈમાં ચોટે નહી. જ્યારે 3 તારની ચાસણી બની જાય તો કઢાઈને નીચે ઉતારી લો. હવે તેમા કાજૂ પાવડર નાખો.   પછી કઢાઈને ધીમા તાપ પર ચઢાવો અને કાજૂ પાવડરને ચાસણીમાં સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ તેને તાપ પરથી ઉતારી લો. 
 
હવે કાજૂકતરી જમાવવા માટે એક ટ્રે લો. ટ્રે ના તળિયે ઘી લગાવીને ફેલાવી દો.  પછી તેમા 1/4 ઈંચમાં કાજૂકતરીનુ તૈયાર પેસ્ટ ટ્રેમાં નાખો. વેલણની મદદથી તેને ચિકણુ કરો. લગભગ 20 મિનિટ પછી પેસ્ટ ઠરી જશે. ત્યારે મનપસંદ આકારમાં તેને કાપો. સજાવવા માટે ચાંદીની વર્કની મદદ લો. 
 
કાજૂ કતરીની ખાસ વાત એ છે કે આ માવાની બરફી કરતા વધુ દિવસ સુધી ચાલે છે.  આ 3થી 4 અઠવાડિયા સુધી ખરાબ થતી નથી.  તેને ક્યાય પણ લાવવી કે લઈ જવી સરળ  હોય છે. સૂકી અને સ્વાદિષ્ટ હોવાને કારણે લોકો તેને ખૂબ પસંદ કરે છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Israel US Iran War: પાકિસ્તાનમાં શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા પછી તેહરાનમાં પ્રથમ વિસ્ફોટ, ૩ લોકો ઘાયલ

રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી, વીજળીના કડાકા સાથે પવન ફૂંકાશે

અમરાવતીમાં સેક્સ સ્કેન્ડલ સામે આવતા મચ્યો હડકંપ, સોશિયલ મિડીયા પર 350 આપત્તિજનક વિડીયો વાયરલ

ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે, આઠ રાજ્યો માટે ગરમીની ચેતવણી જારી કરવામાં આવી છે.

નાસિકના ત્ર્યંબકેશ્વર મંદિરમાં VIP દર્શનના નામે કાળાબજારીનો પર્દાફાશ, ટ્રસ્ટના સભ્ય અને શરદ પવારના NCP નેતાની ધરપકડ

વધુ જુઓ..

ધર્મ

શ્રી ગણેશની પત્નીઓ કોણ છે: રિદ્ધિ અને સિદ્ધિના ચમત્કાર જાણો

Shanishchari Amavasya 2026: શનીશ્ચરી અમાવસ્યા કેમ છે ખાસ ? આ દિવસે કરી લો આ ચમત્કારી ઉપાય, શનિની સાઢે સાતીથી મળશે છુટકારો

Aaj Nu panchang- આજનુ પંચાગ -15 એપ્રિલ

શ્રી હનુમાન ચાલીસા ગુજરાતી

Akshaya Tritiya Puja Samagri- અક્ષય તૃતીયા પૂજા સામગ્રી, પૂજા વિધિ

આગળનો લેખ
Show comments