Dharma Sangrah

ઘરે જ બનાવો કાજુ કતરી

Webdunia
મંગળવાર, 31 મે 2016 (16:43 IST)
કાજૂ કતરી બનાવવા માટે સામગ્રી - 200 ગ્રામ કાજૂ, 100 ગ્રામ ખાંડ અને બે ચમચી ઘી. ચાંદીની વરખ જરૂર હોય તો. પાણી એક કપ. 
 
બનાવવાની રીત - સૌ પહેલા કાજૂને સાફ કરી થોડા સુકાવી લો પછી તેને વાટીને તેનો પાવડર બનાવી લો.  એક કઢાઈમાં એક કપ પાણી નાખી તેને ઉકાળો પછી તેમા ખાંડ નાખીને સારી રીતે ઉકળવા દો. તેને સતત  હલાવતા રહો. જેનાથી ખાંડ કઢાઈમાં ચોટે નહી. જ્યારે 3 તારની ચાસણી બની જાય તો કઢાઈને નીચે ઉતારી લો. હવે તેમા કાજૂ પાવડર નાખો.   પછી કઢાઈને ધીમા તાપ પર ચઢાવો અને કાજૂ પાવડરને ચાસણીમાં સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ તેને તાપ પરથી ઉતારી લો. 
 
હવે કાજૂકતરી જમાવવા માટે એક ટ્રે લો. ટ્રે ના તળિયે ઘી લગાવીને ફેલાવી દો.  પછી તેમા 1/4 ઈંચમાં કાજૂકતરીનુ તૈયાર પેસ્ટ ટ્રેમાં નાખો. વેલણની મદદથી તેને ચિકણુ કરો. લગભગ 20 મિનિટ પછી પેસ્ટ ઠરી જશે. ત્યારે મનપસંદ આકારમાં તેને કાપો. સજાવવા માટે ચાંદીની વર્કની મદદ લો. 
 
કાજૂ કતરીની ખાસ વાત એ છે કે આ માવાની બરફી કરતા વધુ દિવસ સુધી ચાલે છે.  આ 3થી 4 અઠવાડિયા સુધી ખરાબ થતી નથી.  તેને ક્યાય પણ લાવવી કે લઈ જવી સરળ  હોય છે. સૂકી અને સ્વાદિષ્ટ હોવાને કારણે લોકો તેને ખૂબ પસંદ કરે છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

જર્મનીમાં ગાર્ડે આઈડી કાર્ડ માંગતાં અસીમ મુનીરને શરમનો સામનો કરવો પડ્યો, વીડિયો વાયરલ

AI Summit 2026:7 રાષ્ટ્રપતિઓ, 9 વડા પ્રધાનો... ટેક વર્લ્ડનું સૌથી મોટું સમિટ આવતીકાલે દિલ્હીમાં શરૂ થશે, જાણો કોણ કોણ હાજરી આપશે?

મહારાષ્ટ્રમાં ATSનું મોટું ઓપરેશન, વહેલી સવારે 21 સ્થળોએ દરોડા

પશ્ચિમ બંગાળના એક સ્ટેશન પર પાર્ક કરેલી ટ્રેનમાં ભીષણ આગ લાગી હતી, અને ફાયર બ્રિગેડને તેને ઓલવવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો.

IND vs PAK Match- જો વરસાદને કારણે મેચ રદ થાય તો શું થશે?

વધુ જુઓ..

ધર્મ

Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા

Mahashivratri 2026 Shubh Muhurat- મહાશિવરાત્રી: શિવલિંગના અભિષેક માટે શુભ મુહૂર્ત જાણો

મહાશિવરાત્રી પર શિવલિંગ પર શું અર્પણ કરવું જોઈએ ? જાણી લો પૂજા સામગ્રી, શિવ આરતી અને શિવ ચાલીસા

Shiv Aarti - જય શિવ ઓંકારા

રૂદ્રાક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઈ ? રૂદ્રાક્ષ કેટલા પ્રકારનાં હોય છે જાણો 1 થી 21 મુખી રૂદ્રાક્ષનાં લાભ, ઉપયોગ મંત્ર અને તેના દેવતા

આગળનો લેખ
Show comments