Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં મહાત્મા ગાંધીના પૌત્રવધૂ શિવાલક્ષ્મીબેનનું નિધન

Webdunia
શુક્રવાર, 8 મે 2020 (17:25 IST)
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પૌત્રવધુ શિવાલક્ષ્મીબેન ગાંધીનું આજે સુરતના ભીમરાડમાં નિધન થયું છે. શિવાલક્ષ્મીબેન ગાંધીજીના પુત્ર રામદાસના ત્રીજા નંબરના દીકરા કનુભાઈ ગાંધીના પત્ની હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા અને આજે તેમણે સુરતમાં લૉકડાઉનમાં અંતિમ શ્વાસ લીધા હતા. કનુભાઈ લાંબા સમયથી સુરત રહેતા હતા પરંતુ તેમના નિધન બાદ ભીમરાડ ગામના બળવંત પટેલ અને તેમનો પરિવાર શિવાલક્ષ્મીબેનની ચાકરી કરી રહ્યો હતો. છેલ્લા ઘણા સમયથી તેમની તબિયત ખરાબ હતી. અઢી મહિના પૂર્વે ઘરમાં ચાલતા ચાલતા એકાએક બેસાય જવાતા પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. ત્યારબાદ તેમની મહાવીર હોસ્પિટલમાં સારવાર કરાવતા ફરી તેઓ નોર્મલ થઈ ગયા હતા. જોકે ત્યારપછી તેમનો ખોરાક ઓછો થઈ ગયો હતો. જેના કારણે તબિયત નાદુરસ્ત રહેતી હતી. એક અઠવાડિયા પહેલા ઘરમાં બેભાન થઈ જતા. તેમને પીપલોદની ગ્લોબલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન ગુરુવારે રાત્રે તેમને છેલ્લા શ્વાસ લીધા હતા. 
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments