Biodata Maker

રાજગોરી ઘાટ - તંજાવુર

Webdunia
શું તમે આ વાતની અંદર વિશ્વાસ કરશો કે એક શ્મશાન ઘાટને ધાર્મિક માનવામાં આવે છે અને તેની પાસે વહેતી નદીને ગંગા જેટલી પવિત્ર, જે દેશની સૌથી મોટી નદી છે.

જી હા, તંજાવુરમાં એક નદીની પાસે એક શ્મશાન ઘાટ છે જેને ત્યાં રહેનારા લોકો તેવી રીતે જ પવિત્ર અને ધાર્મિક માને છે જેવી રીતે કે ગંગા નદીના ઘાટને લોકો માને છે. અમે ઘણાં લોકોના મોઢે સાંભળ્યું છે કે તેઓના ઘરના વડીલોની ઈચ્છા હતી કે તેમના અંતિમ સંસ્કાર રાજગોરી ઘાટ પર કરવામાં આવે અને તેમની બાકીની વિધી પણ તેની સાથે જોડાયેલી વદાવરૂ નદીના કિનારે જ કરવામાં આવે.

આ ખુબ જ મોટો ઘાટ છે જ્યાં અંતિમ સંસ્કાર માટે સૌથી વધારે અગ્નિદાહના સ્થળ છે. અહીંના કર્મચારીઓનાં જણાવ્યાં અનુસાર અહીંયા એક જ સાથે 20 અંતિમ સંસ્કાર કરી શકાય છે.

ઘાટની બીજી તરફ પણ ઘણાં બધાં અગ્નિદાહ સ્થળો છે. ત્યાં હાજર એક વેટ્ટિયન દ્વારા જાણવા મળ્યું કે બધા જ તંજાવુરના રાજ પરિવાર માટે છે અને અન્ય બ્રાહ્મણ અને નાયક સમાજ માટે છે. 21 મી સદીમાં પણ દરેક સમાજ માટે અહીંયા અલગ અલગ દાહ સ્થળ છે.

W.D
અહીંયા વહેનારી વદાવરૂ નદી, કાવેરી નદીની ઉપનદી છે જેને ગંગા જેટલી જ પવિત્ર માનવામાં આવે છે. જે લોકો પોતાના સંબંધીઓનો અંતિમ સંસ્કાર કરવા માટે અહીંયા આવે છે તેઓ આ નદીની અંદર સ્નાન જરૂર કરે છે. તેમનું એવું માનવું છે કે આ નદીની અંદર સ્નાન કરવાથી તેમના બધા જ દોષો દૂર થઈ જાય છે.

આપણા દેશમાં ધાર્મિક સ્થળો જેવા કે મંદિર, ચર્ચ, મસ્જીદ, બૌદ્ધ, અને જૈન ધર્મોની કોઈ જ ઉણપ નથી પરંતુ એક સ્મશાન ઘાટને તંજાવુરના લોકો દ્વારા ધાર્મિક માનવો તે કદાચ આ પહેલી જ ઘટના હશે. જો તમે પણ આવા ધાર્મિક સ્થળના સંપર્કમાં આવ્યાં હોય તો અમને જરૂરથી જણાવશો...

Homemade Face Serum- ઘરે આ રીતે બનાવો આયુર્વેદિક વિન્ટર ફેસ સીરમ, શિયાળામાં મળશે ઘણા ફાયદા

Winter special - વિંટર સ્પેશલ મિક્સ વેજ અથાણુ

શિયાળામાં હાડકા બનાવવા છે મજબૂત કે પછી ઘટાડવું છે વજન તો ખાવ આ અનાજની રોટલી પછી જુઓ કમાલ

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

દ્રૌપદી તેના પાંચ પતિઓ સાથે કેવી રીતે સમય વિતાવતી; કોઈ પણ પાંડવોએ ફરિયાદ કરી નહીં.

Margashirsha Amavasya 2025: આજે છે વર્ષની છેલ્લી અમાસ, જાણો સ્નાન-દાનનાં ઉપાય અને જરૂરી નિયમ

શ્રી લક્ષ્મી ચાલીસા

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

વૈભવ લક્ષ્મી વ્રત કથા (વીડિયો)

Show comments