Webdunia - Bharat's app for daily news and videos

Install App

કૉમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલિસ્ટ ભારતીય વેટલિફ્ટર પર લાગ્યો બેન, કરિયર પર મંડરાયુ સંકટ

Webdunia
મંગળવાર, 4 એપ્રિલ 2023 (17:14 IST)
બે વખતની કોમનવેલ્થ ગેમ્સ ચેમ્પિયન ભારતીય વેઈટલિફ્ટર સંજીતા ચાનુ પર ગયા વર્ષે ડોપ ટેસ્ટમાં ફેલ  થવા બદલ નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) દ્વારા ચાર વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. સંજીતાએ ગયા વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ગુજરાતમાં નેશનલ ગેમ્સ દરમિયાન વર્લ્ડ એન્ટી-ડોપિંગ એજન્સી (WADA) ની પ્રતિબંધિત યાદીમાં રહેલા એનાબોલિક સ્ટીરોઈડ - ડ્રોસ્ટાનોલોનના મેટાબોલાઇટ માટે પોઝીટીવ આવ્યા. ચાર વર્ષનો પ્રતિબંધ ચાનુનાં કરિયર માટે મોટો ફટકો છે.

ચાનુ પર ચાર વર્ષનો પ્રતિબંધ
ભારતીય વેઈટલિફ્ટિંગ ફેડરેશન (IWF)ના ચીફ સહદેવ યાદવે ચોખવટ  કરી છે કે સંજીતા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે હા, સંજીતા પર NADA દ્વારા ચાર વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સંજીતા માટે આ મોટો ફટકો છે. તેમણે નેશનલ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો જે છીનવાઈ ગયો છે. આ નવા ઘટનાક્રમ અંગે તેમની પ્રતિક્રિયા મેળવી શકાઈ નથી. તેમણે 2014માં ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં 48 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2018માં તેમણે ગોલ્ડ કોસ્ટમાં 53 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. મણિપુરની ખેલાડી પાસે હજુ પણ નિર્ણય સામે અપીલ કરવાનો વિકલ્પ છે પરંતુ તે આવું કરશે કે કેમ તે નિશ્ચિત નથી.
 
સંજીતા ચાનુએ આપ્યું આ નિવેદન  
સંજીતાએ જાન્યુઆરીમાં પીટીઆઈને કહ્યું હતું કે મને આ પહેલા પણ આવો અનુભવ થયો છે તો હું શા માટે ફરી ડોપ કરીશ? મને ખબર નથી કે હું અપીલ કરીશ કે નહીં કારણ કે હું બંને કેસમાં હારી જઈશ. જો હું અપીલ કરીશ, તો મારા પર લાગેલો ઘા ધોવામાં સમય લાગશે અને હું ઓલિમ્પિક અને એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય થવાની મારી તક ગુમાવીશ. જો હું હારીશ તો મને સસ્પેન્ડ કરવામાં આવશે. આ પહેલીવાર નથી જ્યારે 2011 એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ વિજેતા ડોપિંગ વિવાદનો સામનો કરી રહ્યો હોય. નવેમ્બર 2017 માં યુએસમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ પહેલા એનાબોલિક સ્ટેરોઇડ ટેસ્ટોસ્ટેરોન માટે સકારાત્મક પરીક્ષણ કર્યા પછી 2018 માં ઇન્ટરનેશનલ વેઇટલિફ્ટિંગ ફેડરેશન દ્વારા તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, વિશ્વ સંસ્થાએ તેને 2020માં આરોપોમાંથી મુક્ત કરી દીધો હતો.
 
પહેલાથી જ વિવાદો સાથે કનેક્શન 
સંજીતા ચાનુએ કહ્યું હતું કે હું અગાઉ પણ આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ ચુકી છું પરંતુ મને સમજાતું નથી કે આ કેવી રીતે થયું? આ પહેલા હું મારા ખોરાક અને દરેક કામ માટે ખૂબ જ સતર્ક હતી. હું મારા સપ્લિમેન્ટ્સ વિશે પણ સાવચેત હતી  અને મેં પૂછ્યું કે શું તે  ડોપ મુક્ત છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડૉક્ટર મુજબ જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે કેવું લાગે છે, દુખાવો ક્યાં થાય છે, હાર્ટ એટેકનો દુખાવો કેવી રીતે સમજવો?

lord vishnu names for baby boy- એકાદશી પર રાખો ભગવાન વિષ્ણુ ના નામ પર બાળકોના નામ

Gujarati Story- સોનાના ઈંડા ની વાર્તા

MIlk - શા માટે દૂધ બેસીને નહીં પણ ઊભા રહીને પીવું જોઈએ?

વધુ જુઓ..

નવીનતમ

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

જેકલીન ફર્નાન્ડિસની માતાના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે રવાના, અભિનેત્રીએ આંસુ ભરેલી આંખો સાથે આપી વિદાય

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

આગળનો લેખ
Show comments