Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યાં સમુદ્ર પણ ખારાશ છોડી મીઠા પાણીથી શિવલિંગ પર જલાભિષેક કરે છે

Webdunia
બુધવાર, 30 જુલાઈ 2014 (12:11 IST)
પાવનકારી શ્રાવણ માસના પ્રારંભ સાથે ચારેકોર શિવભક્તિમય માહોલ છવાયો છે ત્યારે દીવના દરિયાકિનારે આવેલું એક શિવાલય શિવભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. પ્રાચીન પ્રસિદ્ધ ગંગેશ્ર્વર મહાદેવમાં પાંડવોએ પાંચ શિવલિંગ સ્થાપિત ર્ક્યા હતા અને અહીં સમુદ્રદેવ જાતે પાંચેય શિવલિંગ પર જલાભિષેક કરે છે. નવાઇની વાત એ છે કે, આ ધર્મસ્થાન નજીક દરિયાદેવ પોતાની ખારાઇ છોડી આસ્થાનું માન જાળવતા હોય એમ પાણી ખારું નહીં પણ મીઠું હોય છે. દીવનાં કુદમ પાસે આવેલા પ્રાચીન ગંગેશ્ર્વર મહાદેવ ખાતે શ્રાવણના પ્રારંભ સાથે શિવભક્તોનો માનવ મહેરામણ ઊમટી પડે છે. અહીં રોજ અનેક ભાવિકો પંચ શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અરબી સમુદ્રના તટે આવેલ સંઘ પ્રદેશ દીવના કુદમ ગામ નજીક પાંચ પાંડવો દ્વારા પાંચ શિવલિંગ સ્થાપિત ગંગેશ્ર્વર મહાદેવનું મંદિર આવેલું છે. પાંચ શિવલિંગ નજીક એક ખાડો છે જેમાં જ્યારે સમુદ્રનું પાણી પરત ચાલ્યું જાય છે ત્યારે આ ખાડામાંથી મીઠું પાણી પીવા માટે મળી રહે છે. જેને ભાવિકો ચમત્કાર જ માને છે. અહીંયા દર્શને આવતા દેશ-વિદેશનાં પર્યટકો એક અલગ પ્રકારનાં ભાવની અનુભૂતિ કરે છે.

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

Show comments