Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shani Jayanti 2024: પૈસાની તંગીથી પરેશાન જો તો શનિ જયંતિ પર ભૂલથી પણ ન કરશો આ કામ

Webdunia
ગુરુવાર, 6 જૂન 2024 (13:00 IST)
Shani Jayanti 2024: સનાતન ધર્મમાં, શનિદેવને કાર્યોના દેવતા અથવા ન્યાયના દેવ કહેવામાં આવે છે કારણ કે તેઓ તેમના ભક્તોને તેમના કર્મ મુજબનુ પરિણામ આપે છે. જેના પર શનિદેવની કૃપા હોય છે તેને પોતાના જીવનમાં ક્યારેય કોઈ દુઃખ કે સમસ્યાનો સામનો કરવો પડતો નથી.  સાથે જ  જો શનિદેવની ખરાબ નજર કોઈ પર પડે છે, તો તેની સમસ્યાઓ ક્યારેય સમાપ્ત થતી નથી. તેથી શનિદેવની પૂજા કરીને પ્રસન્ન કરવા ખૂબ જ જરૂરી છે અને આ માટે શનિ જયંતિનો દિવસ ખૂબ જ ખાસ છે. જે જ્યેષ્ઠ મહિનાની અમાવાસ્યાના દિવસે ઉજવવામાં આવે છે અને આ દિવસે જ્યેષ્ઠ અમાવસ્યાનો તહેવાર 6 જૂને છે.  તેથી શનિ જયંતિ પણ 6 જૂને જ ઉજવવામાં આવશે.
 
શનિ જયંતીના દિવસે ન કરશો આ ભૂલ 
 
- જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવની પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ અને ફળદાયી માનવામાં આવે છે. તેથી આ દિવસે એવું કોઈ કામ ન કરવું જેનાથી શનિદેવ નારાજ થાય. આવી સ્થિતિમાં આ વાતનું ધ્યાન રાખો કે શનિ જયંતિના દિવસે ઘરમાં લોખંડની બનેલી વસ્તુ ન લાવવી. આમ કરવાથી તમારે આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
-  જો તમે ઈચ્છો છો કે શનિદેવ હંમેશા તમારા પર તેમની કૃપા દ્રષ્ટિ રાખે તો શનિ જયંતિના દિવસે ભૂલથી પણ   કાચની બનેલી વસ્તુ ન ખરીદો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ જયંતિના દિવસે ઘરમાં કાચની વસ્તુઓ લાવવામાં આવે તો શનિદેવ ક્રોધિત થાય છે.
- ધ્યાન રાખો કે શનિ જયંતિના દિવસે ભૂલથી પણ તુલસી, બિલિપત્રના પાન કે પીપળાના પાન ન તોડવા જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવી ભૂલ કરવાથી વ્યક્તિને આર્થિક, માનસિક અને શારીરિક પીડા સહન કરવી પડી શકે છે.
- શનિદેવને પ્રસન્ન કરવા માટે તેમની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે અને કાળી અડદનું દાન કરવામાં આવે છે. પરંતુ ધ્યાન રાખો કે શનિ જયંતિના દિવસે આ બે વસ્તુઓ ન ખરીદવી જોઈએ. તેનાથી ઘર પર ખરાબ નજરની અસર પડે છે.
- શનિ જયંતિના દિવસે નવા કપડા કે નવા ચંપલ અને જૂતા ખરીદવા કે પહેરવા જોઈએ નહીં. આવી નવી વસ્તુઓ ખરીદવી અને ઘરે લાવવી એ શુભ માનવામાં આવતી નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ભરેલા કારેલાનું શાક

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

વધુ જુઓ..

નવીનતમ

Maa Durga aur Kalash Visarjan - નવ દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા કર્યા પછી, આ પદ્ધતિથી કલશ અને મૂર્તિનું વિસર્જન કરો.

Happy Ram Navami 2025 Wishes in Gujarati - રામ નવમીની શુભેચ્છા

Navratri Day 8: મહાગૌરી માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવશો

Bhandara Bhojan- ભંડારામાં ભોજન ન ખાવું જોઈએ, જાણો કારણ

Ram Navami 2025- સુખ અને સૌભાગ્ય વધારવા માટે રામનવમીના દિવસે શું કરવું અને કઈ વસ્તુઓ ટાળવી? જાણો..

આગળનો લેખ
Show comments