Webdunia - Bharat's app for daily news and videos

Install App

શંખનાદ શા માટે કરવામાં આવે છે ?

Webdunia
ગુરુવાર, 13 જુલાઈ 2017 (05:44 IST)
સમુદ્ર મંથનના સમયે મળેલ ચૌદ રત્નામાંથી એક શંખની ઉત્પતિ છઠ્ઠા નંબરે થઈ. શંખમાં પણ અદભુત ગુણ છે. જે બીજા તેર રત્નોમાં છે. એના નાદમાંથી  ઓઁમ અર્થાત ૐ શબ્દ નિકળે છે. આથી શંખ વગાડતી વખતે  ૐનો નાદ જ્યાં સુધી જાય છે ત્યાં સુધીની નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે. વૈજ્ઞાનિક પણ આ વાતને સ્વીકારતા કહે છે કે  શંખ નાદથી વાયુમંડળના ખૂબ નાના વિષાણુ નષ્ટ થઈ જાય છે, જે માનવ જીવન માટે ઘાતક હોય છે. 
 
વૈદિક માન્યતામાં શંખને વગાડવું ખાસ લાભદાયક ગણાય છે. શુભ કાર્ય કરતી  વખતે શંખનાદથી શુભતાનો ખૂબ સંચાર થાય છે. જ્યાં સુધી શંખનો  અવાજ જાય છે, સાંભળનારા ઈશ્વરનું  સ્મરણ થઈ જાય છે. 
 
સ્વાસ્થયની નજરે શંખ વગાડવું લાભદાયક છે. શંખનાદ એ નવી ઘોષણાનું પ્રતીક છે, તો સાથે શ્વાસ સંબંધિત રોગોને પણ તે સમાપ્ત કરે છે. શંખનાદથી નીકળનાર 'ઓમ'નો મહાનાદ માનસિક રોગોની નિવૃત્તિ કરીને કુંડલિની ઉર્જાને જાગ્રત કરે છે. જેના કારણે બહિકૃભંક પ્રાણાયામની પ્રક્રિયા શરૂ થાય છે. શંખનાદથી આસપાસના વાતાવરણની શુદ્ધિ થાય છે. આજનો  સૌથી ઘાતક રોગ હૃદયઘાત, બ્લ્ડપ્રેશર શ્વાસ સાથે સંબંધિત રોગ મંદાગ્નિ વગેરેના પીડિત દ્વારા  શંખ વગાડવું પરમ શુભ ગણાય છે. એના વાદનથી ઘરના બહારની અસુર શક્તિયો અંદર નથી આવતી. ઘરમાં શંખ રાખવા અને વગાડવાથી વાસ્તુ દોષ ખત્મ થઈ જાય છે.  શંખનો નાદ શુભ અને સતોગુણી ક્રિયાશક્તિનો વ્યક્તિની અંદર સંચાર કરે છે. વાણી સંબંધી વિકાર પણ શંખનાદથી દૂર થાય છે, તેવું તો પ્રયોગોમાં પણ સાબિત થયું છે. શંખને પૂજાઘરમાં જ રાખવામાં આવે છે, અને પૂજા સિવાય તેને પીળા કપડાંની અંદર રાખવામા આવે છે.

જો કે શંખથી ભગવાન પર પાણી ન ચઢાવવું જોઈએ. પૂજામાં રાખતી વખતે શંખનું મોંઢુ હંમેશા આપણી તરફ રાખવું જોઈએ. કેટલીક પ્રથાઓ પ્રમાણે એવું પણ કહેવાય છે કે શંખનાદ ગર્ભવતી સ્ત્રીઓએ ન કરવો જોઈએ, કારણ કે શંખના ધ્વનિથી અવયવો પર દબાણ થતું હોવાથી ગર્ભને નુકશાન થાય છે.

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments