Webdunia - Bharat's app for daily news and videos

Install App

Garuda puran - શા માટે મહિલાઓએ ન કરવા જોઈએ આ ચાર કામ ?

respect
Webdunia
શુક્રવાર, 15 ડિસેમ્બર 2017 (19:18 IST)
ગરૂડ પુરાણમાં ગૃહ્સ્થ જીવન માટે ઉપયોગી ઘણી વાતો જણાવી છે. આ ગ્રંથ માત્ર મૃત્યુ પછીના જીવન વિશે જ નહી પરંતુ માણસ જીવનને સુખી બનાવવા માટેની કલ્યાણકારી વાતો પણ બતાવે છે.  
 
એમાં મહિલાઓ માટે એવી વાતોનું  વર્ણન કરવામાં આવ્યુ છે કે જે જીવનને નષ્ટ થતા બચાવે છે. જાણો  ગરૂડ પુરાણ મુજબ એવી વાતો જેનાથી મહિલાઓએ બચવુ જોઈએ. 
 
1. ગરૂણ પુરાણ કહે છે કે મહિલાઓએ વધુથી વધુ વિરહથી બચવું જોઈએ એટલે કે તેમણે  જીવનસાથીથી દૂર ન રહેવુ જોઈએ. આનાથી તેમના પારિવારિક સ્તર પર તેમને ઘણી સમસ્યાઓ અને પડકારનો સામનો કરવો પડી શકે છે . આથી સુરક્ષિત અને સન્માનજનક  જીવન માટે સારુ રહેશે કે તમે તમારા જીવનસાથી સાથે જ રહો. 

2. મહિલા હોય કે પુરૂષ હમેશા સારા ચરિત્રના લોકો સાથે જ મિત્રતા કરવી જોઈએ. ખરાબ ચરિત્રના લોકો બીજાનુ પતન કરવા ઉપરાંત પોતાનું પણ પતન કરે છે. આ ઉપરાંત એ લોકોનું પણ  પતન થાય છે જે એમની સાથે રહે છે.  દુષ્ટ ચરિત્રના લોકોનો  તરત જ ત્યાગ કરવો જોઈએ.   સારુ રહેશે કે આવા લોકોનો સાથ ક્યારેય ન  રહો. મહિલાઓએ આવા લોકોથી દૂર રહેવું જોઈ કારણકે સંપૂર્ણ ગૃહ્સ્થી એમના પર કેન્દ્રીત છે. 

3. મહિલાઓને દરેક માણસના યથાયોગ્ય સન્માન કરવુ જોઈએ અને આ વાત બધાને માટે લાગૂ થાય છે. વર્તમાનમાં કરેલ  અપમાન ભવિષ્યમાં વિનાશનું  કારણ બની જાય છે. આથી ક્યારેય કોઈને કડવા વચન,  કઠોર વાત ન બોલવી જોઈએ.  જે મહિલા ઘરના સભ્યો સાથે વાર્તાલાપમાં કઠોર શબ્દોનો પ્રયોગ કરે છે. તેવી મહિલાઓના ઘરમાં શાંતિ કાયમ રહેતી નથી. 
4. મહિલા માટે જરૂરી  છે કે એમનું જીવન સુરક્ષિત હોય, માન-સન્માનની રક્ષા હોય એ માટે જરૂરી છે કે પોતાના ઘરમાં રહેવું. બીજાના ઘરમાં લાંબા સમય સુધી રહેવાથી ન તો માન-સન્માન મળે  છે કે ન તો એમનુ જીવન સુરક્ષિત રહી શકે છે. આનાથી તેમની  છબિ  નષ્ટ થવાના ડર રહે છે . આ અસુવિધાથી બચાવા માટે તેઓએ પોતાના જ ઘરમાં રહેવું જોઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

યૂરિક એસિડ વધે તો કયા તેલમાં બનાવવી જોઈએ રસોઈ ? જાણો કુકિંગ માટે બેસ્ટ Oil

કુટ્ટી લોટ કાજુ દહી કબાબ રેસીપી

શિંગોડા કોકોનટ બરફી

ટૂંકી બોધકથા- ચિંતા ચિતા સમાન છે

Lipstick Smart Hacks: દિવસભર તમારા હોઠ પર લિપસ્ટિક રહેશે, બસ આ સરળ સ્માર્ટ હેક્સ અજમાવો

વધુ જુઓ..

નવીનતમ

Chaitra Navratri Saptami Upay: મહાસપ્તમીના દિવસે કરો આ ઉપાય, મા કાલરાત્રિ તમને દરેક સમસ્યામાંથી અપાવશે મુક્તિ

Ramnavami 2025: રામનવમી પૂજા મુહુર્ત અને પૂજા વિધિ

નવરાત્રિની અષ્ટમી-નવમી તિથિ પર કરો આ 7 ઉપાય, પ્રસન્ન થશે દુર્ગા, ઘરમા નહી રહે પૈસાની તંગી

Aarti Shri RamJi- શ્રી રામચંદ્ર જી ની આરતી, શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરન ભવ ભય દારુનમ

નવરાત્રીના છટ્ઠા દિવસે માતા કાત્યાયની માતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

આગળનો લેખ
Show comments