Dharma Sangrah

આ મંદિરમાં જે રાત્રે રોકાય છે તે બની જાય છે પત્થર

Webdunia
શનિવાર, 7 જૂન 2014 (11:32 IST)
સાંજ થતા જ મોતનો સન્નાટો 
 
રાજસ્થાનની રેતીલી ધરતીમાં અનેક રહસ્યો દફન છે. આ રહસ્ય એવા છે જેમને જાણીને મોટા મોટા બહાદુરોના પરસેવા છૂટી જાય છે. કુલઘારા ગામ અને ભાનગઢનો કિલ્લો આવા જ રહસ્યમય સ્થાનોમાંથી એક છે જે ભૂતિયા સ્થાનના રૂપમાં આખી દુનિયામાં ઓળખાય છે.  
 
કુલઘારા અને ભાનગઢથી જુદુ એક વધુ રહસ્યમય સ્થાન છે જે બારમેર જીલ્લામાં આવેલ છે. આ સ્થાન છે કિરાડૂનું મંદિર. 
 
આખા રાજસ્થાનમાં ખજુરાહો મંદિરના નામથી પ્રસિદ્ધ આ મંદિર પ્રેમીઓને વિશેષ આકર્ષિત કરે છે. પણ અહી એવી ભયાવહ સચ્ચાઈ છે જેને જાણ્યા બાદ કોઈપણ અહી સાંજે રોકાવવાની હિમંત નથી કરી શકતુ. 
 
આગળ તે પત્થરનું બની જાય છે. 

તે પત્થરનું બની જાય છે. 
 
કિરાડૂના મંદિર વિષયમાં એવી માન્યતા છે કે અહી સાંજે સાંજ ઢળતા જ જે પણ રહી જાય છે એ તો પત્થરનુ બની નાય છે અથવા તો મોતની ચાદર ઓછી લે છે. કિરાડૂન વિષયમાં આ માન્યતા વર્ષોથી ચાલી આવી છે. પત્થર બનવાના ભયથી અહી સાંજ ઢળતા જ આખો વિસ્તાર વિરાન થઈ જાય છે.  
 
આ માન્યતાની પાછળ એક અજબ સ્ટોરી છે. જેની સાક્ષી એક સ્ત્રીની પત્થરની મૂર્તિ છે. જે કિરાડૂથી થોડી દૂર સિંહની ગામમાં આવેલ છે. 
 



આગળ આ રીતે કિરાડૂન અલોકો બની ગયા પત્થરના. 

આ રીતે કિરાડૂના લોકો બની ગયા પત્થરના. 
 
 
વર્ષો પહેલા કિરાડૂમાં એક તપસ્વી પધાર્યા. તેમની સાથે શિષ્યોનું એક ટોળુ પણ હતુ. તપસ્વી એક દિવસ શિષ્યોને ગામમાં છોડીને દેશાટન માટે નીકળી પડ્યા.  આ દરમિયાન શિષ્યોનું સ્વાસ્થ્ય એકાએક બગડી ગયુ. 
 
ગામવાળાઓએ તેમની કોઈ મદદ ન કરી. તપસ્વી જ્યારે કિરાડૂ પરત ફર્યા અને પોતાના શિષ્યોની દુર્દર્શા જોઈ તો ગામવાળાઓને શાપ આપી દીધો કે જે લોકોના હ્રદય પત્થરના છે તેઓ માણસ રહેવા યોગ્ય નથી. તેથી પત્થર બધા પત્થરના થઈ જાય. 
 
એક કુંભારણ હતી જેણે શિષ્યોની મદદ કરી હતી. તપસ્વીએ તેના પર દયા કરતા કહ્યુ કે તુ ગામમાંથી જતી રહે નહી તો તુ પણ પત્થરની થઈ જઈશ. પણ યાદ રાખજે જતી વખતે પાછળ વળીને ન જોઈશ. 
 
કુંભારણ ગામમાંથી જતી રહી પણ તેના મનમાં એ શંકા થવા લાગી કે તપસ્વીની વાત સાચી છે કે નહી. તે પાછળ વળીને જોવા લાગી અને તે પણ પત્થરની બની ગઈ. સિંહણી ગામમાં કુંભારણની મૂર્તિ આજે પણ આ ઘટનાની યાદ અપાવે છે.  
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Winter Kitchen Hacks: શું ઠંડીમાં શાકભાજીની ગ્રેવી ઝડપથી ઘટ્ટ થઈ જાય છે? બમણી સ્વાદ માટે આ સરળ નુસખા અજમાવો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

ફક્ત એક અઠવાડિયુ ખાવ ઈસબગોલ, તમને થશે આ અગણિત ફાયદા

વધુ જુઓ..

નવીનતમ

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

Dhanurmasam 2025- ધનુર્માસ પ્રારંભ, ધનુર્માસ દરમિયાન શું ન કરવું જોઈએ

Margashirsha Amavasya Kyare Che 2025: 18 કે 19 ડિસેમ્બર માર્ગશીર્ષ અમાવસ્યા ક્યારે છે? આ દિવસે કરો આ ઉપાયો, ભાગ્યના ખુલશે દરવાજા ધનનો થશે વરસાદ

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Show comments