Dharma Sangrah

કામાખ્ય મંદિર- કામરૂપનો કુંભ

Webdunia
N.D
તંત્ર-મંત્ર સાધના માટે જાણીતું કામરૂપ કામાખ્ય(ગૌહાટી)માં શક્તિ દેવી કામાખ્યના મંદિરમાં દર વર્ષે યોજાતા 'અંબુવાસી' મેળાને કામરૂપનો કુંભ માની શકાય છે. આની અંદર ભાગ લેવા માટે દેશભરના સાધુઓ અને તાંત્રિકો એકઠા થઈ જાય છે.

આમ તો આ મેળો 22 થી 25 જુન સુધી જ ચાલે છે પરંતુ તેની અંદર ભાગ લેવા માટે એક અઠવાડિયા પહેલા જ સાધુ સંતોનું આગમન શરૂ થઈ જાય છે. શક્તિના આ સાધક નીલાચલ પર્વત (જેની પર માતા કામાખ્યનું મંદિર આવેલ છે)ની જુદી જુદી ગુફાઓમાં બેસીને સાધના કરે છે. અંબુવાસી મેળા દરમિયાન ત્યાં ખુબ જ વિચિત્ર હઠયોગીઓ પહોચે છે.

કોઈ પોતાની દસ-બાર ફુટ લાંબી જટાઓને કારણે કૌતુહલનું કારણ બને છે, કોઈ પાણીમાં બેસીને સાધના કરે છે, તો કોઈ એક પગ પર ઉભા રહીને. આ ચાર દિવસ દરમિયાન અહીંયા ચાર થી પાંચ લાખ જેટલા શ્રદ્ધાળુઓ પહોચે છે. આટલો મોટો ધાર્મિક મેળાવડો પૂર્વોત્તરમાં બીજે ક્યાંય પણ નથી થતો.

એવી માન્યતા છે કે 'અંબુવાસી મેળા' દરમિયાન માઁ કામાખ્યા દેવી રજસ્વલા થાય છે. જ્યોતિષશાસ્ત્રને અનુસાર સૌર અષાઢ મહિનામાં મૃગશિરા નક્ષત્રનો તૃતીય ચરણ પસાર થયા બાદ આદ્રા પદના મધ્યમાં પૃથ્વી ઋતુવતી થાય છે. એવી માન્યતા છે કે ભગવાન વિષ્ણુના ચક્રથી ખંડ ખંડ થયેલ સતીના શરીરનો યોનીનો ભાગ નીલાચલ પર્વત પર પડ્યો હતો.

એકાવન શક્તિપીઠોમાંની કામાખ્ય મહાપીઠને સર્વશ્રેષ્ઠ માનવામાં આવી છે. એટલા માટે કામાખ્ય મંદિરમાં માતાની યોનીની પૂજા થાય છે. તેથી કામાખ્ય મંદિરના ગર્ભગૃહમાં ફોટો લેવાની મનાઈ છે. એટલા માટે અહીંયા ત્રણેય દિવસો સુધી મંદિરની અંદર પ્રવેશ કરવાની મનાઈ હોય છે. ચોથા દિવસે જ્યારે મંદિરના દ્વાર ખુલે છે અને વિશેષ પૂજા થાય છે ત્યાર બાદ ભક્તોને દર્શનનો અવસર મળે છે.

આમ પણ કામાખ્ય મંદિર પોતાની ભૌગોલીક વિશેષતાઓને લીધે સારૂ પર્યટન સ્થળ છે અને વર્ષ દરમિયાન લોકોની અવર જવર પણ ચાલુ જ હોય છે. આ પર્વત બ્રહ્મપુત્રા નદીની સાથે એકદમ જોડાયેલ છે. કામાખ્ય દેવત્તર બોર્ડના પ્રશાસનિક અધિકારી ઋજુ શર્માને અનુસાર આટલા બધા લોકો એકસાથે આવવાને લીધે વ્યવસ્થાને સંભાળવી મુશ્કેલ થઈ જાય છે. તેથી જીલ્લા પ્રશાસનની મદદ લેવી પડે છે. તે દરમિયાન ખાનગી વાહનોના પ્રવેશ પર રોક લાગી જાય છે.

આ મેળાને આસામની કૃષિ વ્યવસ્થાની સાથે પણ જોડવામાં આવે છે. ખેડૂત પૃથ્વી ઋતુવતી થાય ત્યાર પછી જ ધાનની ખેતીની શરૂઆત કરે છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Homemade Face Serum- ઘરે આ રીતે બનાવો આયુર્વેદિક વિન્ટર ફેસ સીરમ, શિયાળામાં મળશે ઘણા ફાયદા

Winter special - વિંટર સ્પેશલ મિક્સ વેજ અથાણુ

શિયાળામાં હાડકા બનાવવા છે મજબૂત કે પછી ઘટાડવું છે વજન તો ખાવ આ અનાજની રોટલી પછી જુઓ કમાલ

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

વધુ જુઓ..

નવીનતમ

Ekadashi Vrat Date: વર્ષની છેલ્લી એકાદશી ક્યારે છે,૩૦ કે 31 ડિસેમ્બર? જાણો પુત્રદા એકાદશીનું વ્રતની તારીખ અને શુભ મુહૂર્ત

દ્રૌપદી તેના પાંચ પતિઓ સાથે કેવી રીતે સમય વિતાવતી; કોઈ પણ પાંડવોએ ફરિયાદ કરી નહીં.

Margashirsha Amavasya 2025: આજે છે વર્ષની છેલ્લી અમાસ, જાણો સ્નાન-દાનનાં ઉપાય અને જરૂરી નિયમ

શ્રી લક્ષ્મી ચાલીસા

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

Show comments