Webdunia - Bharat's app for daily news and videos

Install App

અંબાજી

પરૂન શર્મા
બોલ મારી અંબે..જય જય અંબે...

અરાવલીનાં ગીરી શીખરોમાં આરાસુર ડુંગર પર જગતજનની અંબા માતાનું પવિત્ર મંદિર આવેલું છે. હિન્દુધર્મમાં આદિકાળથી અંબામાતાને આદ્યશક્તિ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લામાં આવેલું આ સ્થાનક ભારતભરમાં 52 શક્તિપીઠોમાંથી મુખ્ય ગણાય છે.

નવરાત્રી દરમ્યાન આ સ્થળે ભક્તોનું માનવ મહેરામણ ઉમટે છે.યાત્રા ધામ અંબાજીની વિશેષતાએ છે કે અહીંયા નીજ મંદિરમાં કોઇ મૂર્તિ નથી,પરંતુ ગોખલામાં એક યંત્ર કોતરવામાં આવેલું છે. પૂજારીઓ આંખે પાટા બાંધીને સેવા-પૂજા કરે છે.

પૌરાણિક કથા પ્રમાણે વિષ્ણું ભગવાને સુદર્શન ચક્ર દ્રારા માતા સતીના મૃત શરીરના કરેલા છેદન માંથી હ્દયનો ભાગ આ સ્થળે પડ્યો હતો. કારતક, ચૈત્ર અને ભાદરવાની પૂર્ણિમા તથા નવરાત્રી દરમ્યાન અહીયા ભરાતા મેળાઓમાં ભારતભર માંથી દર્શનાર્થીઓ ઉમટી પડે છે.

અંબાજી પહોંચવા માટે બસ, રેલવે અને હવાઇમાર્ગે પહોંચી શકાય છે. અમદાવાદથી અંબાજી બસ માર્ગે 179 કિ.મી.તથા રેલવે માર્ગે અમદાવાદથી અંબાજી 144 કિ.મી. પાલનપુર પહોંચીને ત્યાંથી બસ મારફતે અંબાજી જઇ શકાય છે.

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

Show comments