Webdunia - Bharat's app for daily news and videos

Install App

બકરી ઇદના અવસરે અમદાવાદ અને સુરતમાં જાનવરોની સાર્વજનિક બલિ પર પ્રતિબંધ

Webdunia
મંગળવાર, 28 જુલાઈ 2020 (12:08 IST)
બકરી ઇદના થોડા દિવસ પહેલાં અમદાવાદ પોલીસ કમિશ્નર અને સુરત પોલીસ કમિશ્નરે સાર્વજનિક અને ખાનગી સ્થળો પર જાનવરોની બલિ આપવાનો આદેશ જાહેર કર્યો છે. આ આદેશ અનુસાર જ્યાંથી સામાન્ય જનતા બલિને જોઇ શકે છે, ત્યાં બલિ પ્રતિબંધિત રહેશે. અમદાવાદ પોલીસ કમિશ્નર આશિષ ભાટીયા અએન સુરત પોલીસ કમિશ્નર આર એસ બી બ્રહ્મભટ્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી જાહેરાત સીઆરપીસીની કલમ 144 હેઠળ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે જાહેર કરી છે. 
 
તેમાં કહેવામાં આવ્યું છે કે ''ઇદના અવસરે સાર્વજનિક અને ખાનગી સ્થળો પર બલિ પ્રતિબંધિત છે, જ્યાંથી સામાન્ય જનતા તેને જોઇ શકે છે. સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે ''સાર્વજનિક સ્થળો પર પશુ બલિ અન્ય લોકોના વિશ્વાસ અને ભાવનાઓને ઠેસ પહોંચાડી શકે છે અને બિન સાંપ્રદાયિક વાતાવરણનું નિર્માણ કરી શકે છે. 
 
નોટિફિકેશનમાં આગળ કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસને જોતાં આ પ્રતિબંધ અનિવાર્ય છે. અમદાવાદ પોલીસ કમિશ્નરે એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુસ્લિમ ધર્મના બકરી ઇદનો તહેવાર એક ઓગસ્ટના રોજ છે. આ તહેવારના અવસર પર કેટલાક પ્રકારના જાનવરોની બલિ ચઢાવવામાં આવે છે અને કોઇપણ જાનવરને કોઇપણ સાર્વજનિક અથવા ખાનગી સ્થળો પર બલિ ચઢાવવામાં આવે છે. આમ કરવાથી અન્ય ધર્મોના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચવાની અને શાંતિ ભંગ થવાની સંભાવના છે.

સંબંધિત સમાચાર

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

હેવી બ્રેસ્ટ છે ? તો આ 4 એક્સરસાઈઝથી તેને સુડોળ અને આકર્ષક બનાવો

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments