Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમિત શાહના ભોજનના સ્ટંટથી આદિવાસી પ્રજા ગુમરાહ નહીં થાય - Hardik Patel

Webdunia
ગુરુવાર, 1 જૂન 2017 (15:36 IST)
હાર્દિક પટેલ ગુરૂવારે ક્રાઈમ બ્રાંચમાં હાજરી પુરાવવા પહોંચ્યો હતો. બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં તેણે  જણાવ્યું હતું કે, પાટીદાર સમાજથી ભાજપને થયેલ નુકસાનને ભરવા માટે ભાજપ પ્રમુખ અમિત શાહ આદિવાસીઓના ઘરે ભોજન ડિપ્લોમસી કરી જે પોલીટિક્લ સ્ટન્ટ હોવાનું સૌ કોઈ જાણે છે. સાથે જ ગૌ હત્યાની બંધ કરાવવાની વાત કરતાં ભાજપના રાજમાં બીફમાં દેશ નંબર વન બન્યાનો આક્ષેપ હાર્દિકે કર્યો હતો. હાર્દિકે જણાવ્યું હતું કે, પાટીદારો પરેશાન છે. ત્યારે આદિવાસીઓ તરફ ભાજપ ઝુક્યું હોય તેમ ભોજન ડિપ્લોમસી અમિત શાહ દ્વારા કરવામાં આવી છે. પરંતુ આદિવાસીઓ તરફ તેમણે આટલાં વર્ષોમાં કેટલું ધ્યાન આપ્યું તે આદિવાસી સમાજ ચોક્કસ જાણે છે. અને આગામી દિવસોમાં પણ આદિવાસી સમાજ શું કરવું તે ખરી રીતે જાણે છે. માટે ભાજપીઓ દ્વારા જે પ્રયાસ કરવામાં આવે છે તેનાથી નક્કર ફાયદો નહીં થાય તેમ હાર્દિકે વધુમાં જણાવ્યું હતું. હાર્દિકે ગૌ હત્યા મુદ્દે ભાજપની નીતિની ટીકા કરતાં જણાવ્યું હતું કે, કથની કરણીમાં ફેર છે. ગૌ હત્યા બંધ થવી જોઈએ તેવા નારા લગાવતી ભાજપની સરકારમાં જ સૌથી વધુ બીફની નિકાસ કરવામાં આવી છે. અને તેના કારણે જ દેશ વિશ્વમાં બીફને લઈને નંબર વન બની ગયો છે. કાયદો બનાવીને ગૌહત્યા રોકવી જોઈએ પણ તેવું કરવામાં આવતું નથી.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments