Webdunia - Bharat's app for daily news and videos

Install App

મધુભન રિસોર્ટમાં વર્લ્ડ ડાયાબિટીસ ડે: આધુનિક સારવાર કરતા નિસર્ગોપચારક સારવાર જાણો કઈ રીતે છે સુરક્ષિત

Webdunia
ગુરુવાર, 14 નવેમ્બર 2019 (17:42 IST)
વર્લ્ડ ડાયાબિટીઝ ડે પર મધુભન રિસોર્ટ્સ અને સ્પા ખાતે આવેરનેસ પ્રોગ્રામ યોજાયો હતો. આ વર્લ્ડ ડાયાબિટીઝ ડે 2019 માટેની થીમ ફેમિલી અને ડાયાબિટીસ છે. ડાયાબિટીસની અસર લોકોના કુટુંબ પર પડે છે જેથી તેની જાગૃતિ લાવવી જરૂરી બની ગઈ છે. તેમાં પણ નિસર્ગોપચાર એ એક સારવાર છે જે ખૂબ જ ઓછા ખર્ચે થઈ શકે છે અને ઉત્તમ પરિણામો આપે છે. જેથી મધુભન રિસોર્ટ્સ અને સ્પામાં આવરનેસ પ્રોગ્રામ યોજાયો હતો. જેમાં મધુભન રિસોર્ટ્ના નેચરોપેથી ફિઝિશિયન ડોક્ટર સચિન પટેલે લોકોને અવેર કર્યા હતા.
 
આ સાથે તેમને જાહેરાત કરી હતી છે કે રાષ્ટ્રીય નેચરોપથી ડેથી તેઓ 18 નવેમ્બરે નેચરોપથી દિવસથી એક અઠવાડિયા સુધી  તમામ સારવારમાં વિના મૂલ્યે કરશે તેમજ કન્સલ્ટિંગમાં 50% ડિસ્કાઉન્ટ આપશે.
 
 
 ગુજરાત અને વધુ મહત્ત્વની વાત એ છે કે અમદાવાદ ભારતની ડાયાબિટીસની રાજધાની તરીકે ઉભરી શકે છે. વર્થ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) ના અહેવાલો અનુસાર ભારતને વિશ્વની ડાયાબિટીઝની સંભવિત રાજધાની તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે, જેમાં આ રોગના દર્દીઓની સંખ્યા 2025 સુધીમાં 3 થી કરોડ થવાની ધારણા છે. ઘણા અહેવાલોમાં ડાયાબિટીઝના કેસોની વધતી સંખ્યા વિશે સાવચેતી આપવામાં આવી છે. ગુજરાતમાં અને ભારતમાં ડાયાબિટીસ વધી રહ્યું છે અને બીજી તરફ ડાયાબિટીસ વિશે લોકોમાં જાગૃતિ ખૂબ ઓછી છે. 
 માનવ સ્વાસ્થ્ય અને આ રોગના મહત્વને જાણીને, નેચરોપથી ચિકિત્સક સચિન પટેલ કે જેઓ આણંદના મધુભન રિસોર્ટ્સ અને સ્પામાં ડાયાબિટીસના કેસોની જાગૃતિ અને ઉપચાર માટે પણ ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. વિશ્વ ડાયાબિટીસ દિવસ પર સચિન પટેલ દ્વારા ડાયાબિટીસ માટે  અવરનેસ લાવવાનો પ્રયત્ન તેમના વક્તવ્યમાં કર્યો હતો.
 
 
 
  ડાયાબિટીસ અને નેચરોપથી પર બોલતા સચિન પટેલ કહ્યું કે, “ડાયાબિટીસ એ એક રોગ છે જે ત્યારે થાય છે જ્યારે તમારા બ્લડમાં ગ્લુકોઝ કે જેને બ્લડ સુગર પણ કહેવામાં આવે છે, તેની માત્રા ખૂબ હોય છે. ઇન્સ્યુલિન, સ્વાદુપિંડ દ્વારા બનાવવામાં આવેલું એક હોર્મોન, ખોરાકમાંથી ગ્લુકોઝને તમારા કોષોમાં પ્રવેશ કરવા માટે એનર્જી માટે ઉપયોગમાં લે છે. ડાયાબિટીસના નિસર્ગોપચારક ઉપચારનો ઉદ્દેશ એ છે કે લોહીમાં ગ્લુકોઝના ઉચ્ચ સ્તરને ઘટાડવો અને આહાર, યોગા, વ્યાયામ, ધ્યાન, મડ થેરાપી, એક્યુપંક્ચર, ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સ અને હર્બ્સ જેવા કુદરતી ઉપચારનો ઉપયોગ કરીને દર્દીની સંપૂર્ણ સુખાકારીની ખાતરી કરવાનો છે. 
  તેમણે વધુમાં ઉમેર્યું કે, "ડાયાબિટીસમાં, ઇન્સ્યુલિનનું પ્રમાણ ઓછું આવે છે અને જે રક્તમાં ગ્લુકોઝ (બ્લડ સુગર) ના સ્તરમાં વધારો તરફ દોરી જાય છે. સદભાગ્યે, દર્દીઓ માટે સામાન્ય અને સ્વસ્થ રહેવા માટે નૈચરોપેથિક સારવારથી ખૂબ જ આવશ્યકતા છે. જીવનમાં કારણ કે આપણા માટે કેટલાક ઉપચારો ખૂબ અસરકારક હોય છે ડાયાબિટીસ માટેની નિસર્ગોપચારક સારવાર અન્ય આધુનિક સારવાર કરતા સલામત છે. દર્દીઓ વજન ઓછું કરી શકે છે, નોંધપાત્ર એનર્જી મેળવી શકે છે, અને તેમના ગ્લુકોઝની સંખ્યા, કોલેસ્ટરોલ મૂલ્યો ઘટાડી શકે છે અને બ્લડ પ્રેશરનું સ્તર પણ ઘટાડે છે. આજની જીવનશૈલી અને વધુ પડતી ખાંડ અને તેનો ઉપયોગ ડાયાબિટીસ નોતરે છે, તેમ છતાં જીનેટિક  પરિબળો પણ સમાન ભૂમિકા ભજવે છે. ભારતમાં ઓછામાં ઓછી 50% વસ્તી દિવસમાં એક પણ શાકભાજી ખાતી નથી. સૌથી ખરાબ, તેમાંથી માત્ર 11% દિવસમાં ઓછામાં ઓછું એક ફળ ખાય છે. "
 
 
 મધુભન રિસોર્ટ અને સ્પા ખાતે ખાસ કરીને ડાયાબિટીસ ના થાય તેવો આહાર સારી રીતે તૈયાર કરવામાં આવે છે દરેક દર્દીએ નિયતસર આહાર ચાર્ટ તૈયાર કરવો જોઈએ તેમજ સમયસર સારવાર લેવી જોઈએ.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments