Festival Posters

સાઉદી અરેબિયામાં વર્ક પરમીટ ફીમાં વધારો ઝીંકાતા ગુજરાતનાં 17 કામદારો ફસાયા

Webdunia
સોમવાર, 23 સપ્ટેમ્બર 2019 (12:25 IST)
સાઉદી અરેબિયામાં ગુજરાતનાં 17 સહિત ભારતનાં 100 જેટલા કામદારો ફસાયા છે. ગુજરાત સહિત ગુજરાતનાં કામદારોની વર્ક પરમીટ કંપનીએ રીન્યુ નહીં કરાવતા 100થી વધુ કામદારો ત્યાં ફસાયા છે. આ પૈકી બીલીમોરાનાં 3 કામદારોની વર્ક પરમીટ ચાલુ હોવાથી તેઓ પરત ફર્યા છે. સાઉદી અરેબિયાનાં રિયાધમાં 50 વર્ષથી વધુથી બ્રિટીશરોની એસએસસીએલ કંપની કરી રહી છે. જેમાં ઇલેક્ટ્રીક, મીકેનીકલ અને કન્સ્ટ્રકશનનું કામ કરવા દરવર્ષે મોટા પ્રમાણમાં ભારતીય કામદારો જતાં હતાં. પરંતુ છેલ્લા બે વર્ષથી સાઉદી અરેબિયાની સરકારે પોતાના દેશમાંથી વિદેશી કામદારોની સંખ્યા ઓછી કરવા માટે અનેક પગલા લેવા માંડ્યાં. જેમાં તેમણે પરદેશથી આવેલા કામદારોની વર્ક પરમીટની ફીમાં ઘણો જ વધારો ઝીંક્યો હતો. અગાઉ 1 વર્ષની વર્ક પરમીટની ફી 650 સાઉદી રિયાલ એટલે રૂ.12350 હતો. જેમાં વધારો કરીને 8500 રીયાલ એટલે રૂ.1,65,500 કરી દીધી હતી. આ વર્ક પરમીટની ફી કન્સ્ટ્રકશન કંપની ભરતી હતી. પરંતુ તેમાં ઘરખમ વધારો કરી દેવાથી કંપનીએ ફી ભરવામાંથી પોતાના હાથ ઉંચા કરી દીધા હતા. જેના કારણે ભારતનાં કેરલા, પશ્વિમ બંગાળ, બિહાર, રાજસ્થાન, પંજાબ અને ગુજરાત રાજ્યોનાં કુલ 100થી વધુ કામદારો સાઉદી અરેબિયામાં ફસાઈ પડયા છે. કામદારો કેમ્પની બહાર નીકળી શકતા નથી. તદઉપરાંત કંપની પાસે કામદારોનાં 1 વર્ષનો પગાર પણ બાકી નીકળે છે. કુલ છ રાજ્યોના 100 પૈકી 20 કામદારો ગુજરાત રાજ્યના છે. જેમાં નવસારી જિલ્લાના 8, સુરત જિલ્લાના 3નો સમાવેશ થાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગરમીમાં કાચી ડુંગળી ખાવાથી શું થાય છે ? જાણી લો વડીલો ગરમીમાં ડુંગળી ખાવાની સલાહ કેમ આપે છે

Dhanu rashi girl name - ધન રાશિ પરથી છોકરીઓ - છોકરાઓના નામ

Dinner Recipe- જીરા રાઈસ અને દાળ તડકા - એક 'ક્લાસિક' અને દરેકનું પ્રિય ભોજન

Pillow Cleaning Tips- જો તમારા ઓશીકામાંથી દુર્ગંધ આવે છે અથવા તેના પર પીળા ડાઘ પડી ગયા છે, તો

Saffron water: કેસરનું પાણી પીવાથી શું થાય છે, જાણો ક્યારે પીવું સ્વાસ્થ્ય માટે વધુ લાભકારી ?

વધુ જુઓ..

નવીનતમ

આશા ભોંસલેનાં નિધન પર થઈ પર નમ થઈ પ્રિયંકા ચોપડાની આંખો, રમેશ સિપ્પીએ પણ દુઃખ વ્યક્ત કર્યું, સાંજે 4 વાગે થશે અંતિમ સંસ્કાર

તેમના ગીત હંમેશા ગૂંજતા રહેશે, દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનાં નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

Asha Bhosle Death LIVE Updates- આશા ભોંસલેના અંતિમ સંસ્કાર ક્યારે અને ક્યાં થશે? ગાયિકાના નિધનથી ચાહકો આઘાતમાં છે

Asha Bhosle Death - આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન; ફિલ્મ ઉદ્યોગમાં શોકની લાગણી છવાઈ ગઈ

ઉજ્જૈનમાં જોવાલાયક સ્થળો

આગળનો લેખ
Show comments