Webdunia - Bharat's app for daily news and videos

Install App

12 લોકો સાથે છકડો પુલથી નીચે ખાબક્યો

Webdunia
શનિવાર, 6 મે 2023 (15:06 IST)
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડના ઈન્દ્રેશ્વર મંદિર નજીક એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં 3 લોકોના મોત નીપજ્યા છે જયારે 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જામજોધપુરના ધ્રાફા ગામેથી ભાણવડ તાલુકાના જામ રોજીવાળા ગામે છકડા રિક્ષામાં જતા સમયે ભાણવડ-ખંભાળીયા હાઇવે રોડ ઉપર આવેલ ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર નજીક રોજીવાળા પાસેની નદી પરના બ્રિજ પરથી અચાનક જ છકડોરિક્ષા પુલની દીવાલ તોડી ધડામ કરતી 25 ફૂટ નીચે પડી હતી. છકડોરિક્ષા પુલ પરથી નીચે ખબકતા રોડ મોતની ચીચીયારીઓથી ગૂંજી ઉઠ્યો હતો. અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા અને 8 જેટલા પેસેન્જરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
 
ભાણવડ તાલુકાના જામ રોજીવાળા પાસેના અકસ્માતમાં તમામ ઈજાગ્રસ્તોને 108ની મારફતે જામનગર તથા ખંભાળિયા રિફર કરવામાં આવ્યા છે. તો ઘટનાની જાણ થતાં જ ઈજાગ્રસ્તોના પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલીક હોસ્પિટલ ખાતે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ગણિતમાં કેમ બોલતા નથી

ગુજરાતી જોક્સ - મોબાઈલ ફેંકી દો...

ગુજરાતી જોક્સ - કોંગ્રેસ પાર્ટીની ટિકિટ

ગુજરાતી જોક્સ - કેમ રડે છે?

ગુજરાતી જોક્સ - બિલાડી પાછી આવી

વધુ જુઓ..

નવીનતમ

Wedding Special: લગ્ન પહેલાની આ 6 વિધિ ખૂબ જ ખાસ છે, જાણો તેમના વિશે

એગ ફ્રાય રાઈસ

શિયાળામાં રાત્રે સૂતા પહેલા આ એક કામ કરો, સવારે તમારો ચહેરો ચમકી ઉઠશે

How to clean Sandals:વેડિંગ પાર્ટીમાં પહેરવા માટે ખરીદ્યા છે સેન્ડલ, નવા તરીકે રાખવા આ રીતને અપનાવો

માથામાં વધતી ખંજવાળ ખોડો નહીં પણ ઈન્ફેકશનને કારણે પણ હોઈ શકે, જાણો લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો

આગળનો લેખ
Show comments