Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદના ખોખરામાં પતિની લિવ ઈન પાર્ટનરને પત્નીએ મારી નાંખવાની ધમકી આપી

અમદાવાદના ખોખરામાં પતિની લિવ ઈન પાર્ટનરને પત્નીએ મારી નાંખવાની ધમકી આપી
Webdunia
મંગળવાર, 10 મે 2022 (14:53 IST)
સમાજમાં પ્રેમ સંબંધના અનેક મામલાઓ પ્રકાશમાં આવે છે. અમદાવાદ શહેરમાં પતિના આડા સંબંધોને લઈને પત્ની પોલીસ સ્ટેશન પહોંચી હોય તેવી ઘટનાઓ પણ પોલીસ ચોપડે નોંધાતી હોય છે. ત્યારે શહેરમાં એક એવો મામલો સામે આવ્યો છે જેમાં પત્નીએ પતિ સાથે રહેતી લિવ ઈન પાર્ટનરને મારી નાંખવાની ધમકી આપીને બિભત્સ અપશબ્દો બોલ્યા હતાં.

આ અંગે પતિની લિવ ઈન પાર્ટનરે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ પ્રમાણે અમદાવાદના ખોખરામાં પતિ પત્ની અને પ્રેમિકા વચ્ચેનો વિવાદ મારમારી સુધી પહોંચી ગયો હતો. પત્નીએ પતિની લિવ ઇન પાર્ટનરને જાનથી મારવાની ધમકી આપી હતી. ખોખરામાં રહેતી પાયલે (નામ બદલ્યું છે) 2014માં કરણ ( નામ બદલ્યું છે) સાથે મૈત્રી કરાર કર્યા હતા. કરણ અને પાયલને અઢી વર્ષનું સંતાન છે. જોકે છેલ્લા બે વર્ષથી કરણ અને પાયલ અલગ અલગ રહે છે.

સોમવારે સવારે પાયલના ઘરે કરણની પત્ની શોભના તેના ભાઈ સહિતના પરિવારના સભ્યો કોર્ટના માણસો સાથે પાયલના ઘરે પહોંચ્યા હતા. પાયલના ઘરમાં તમામ લોકોએ તપાસ કરી પણ કરણ મળ્યો ન હતો. શોભનાએ પાયલને કરણ ક્યાં છે? તેવો સવાલ કરતા પાયલે તે મારી જોડે નથી તેમ કહ્યું હતું. શોભનાએ અપશબ્દો બોલવાનું શરૂ કરી કહ્યું કે, કરણને તું જ રાખીને બેઠી છે. તેમ કહી પાયલ સાથે ઝપાઝપી કરી તેમજ શોભનાના ભાઈએ પાયલને લાફો માર્યો હતો. આરોપીઓએ જતા જતા પાયલને જાનથી મારવાની ધમકીઓ આપી હતી. ખોખરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

એક અઠવાડિયા સુધી પીવો આ આદુનું પાણી, શરીર પર એવી અસર થશે કે તમે નવાઈ પામશો, આ રોગોમાં થશે ફાયદો

વધુ જુઓ..

નવીનતમ

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments