Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિધવા પુત્રવધૂનાં સાસુ-સસરા કરાવ્યા બીજા લગ્ન- સાસુ-સસરા ખરા અર્થમાં બન્યા માતા-પિતા, પુત્રવધૂના બીજા લગ્ન કરાવી સાસરે વળાવી, સર્જાયા ભાવુક દ્વશ્યો

Webdunia
રવિવાર, 26 ફેબ્રુઆરી 2023 (10:26 IST)
નવવધૂ જ્યારે પરણીને પોતાના સાસરે આવે છે ત્યારે સાસુ-સસરા તેને દિકરીના રૂપમાં સ્વિકારતા હોય છે. ત્યારે સુરતમાં આજે સાસુ-સસરા ખરા અર્થમાં માતા-પિતા બનીને પુત્રવધૂના લગ્ન કરાવીને ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. પુત્રના અવસાન બાદ પુત્રવધૂનું સાસુ-સસરાએ કન્યાદાન કરીને સમાજને એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. 
 
વાત એમ છે કે વેડના નવા મોહલ્લામાં રહેતા દિનેશભાઈના પુત્ર વિમલનું 15 મહિના પહેલાં અકાળે અવસાન થતાં પુત્રવધૂની સાથે સમગ્ર પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. માતા-પિતાએ પોતાનો દીકરો ગુમાવતા દુખી હતા તો બીજી તરફ યુવાન પુત્રવધૂ પણ વિધવા થઈ ગઈ હતી. તેની હજુ આખી જીંદગી બાકી હતી. તે આખુ આયખું કેવી રીતે પસાર કરશે તેની સાસુ-સસરાને ચિંતા હતા. જેથી તેના બીજા લગ્ન કરાવીને ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. 
 
સાસુ-સસરાએ પોતાની પુત્રવધૂને લગ્ન કરી વળાવી હતી. લગ્નમાં હાજર તમામ લોકોની આંખો અશ્રુઓથી છલકાઈ ગઈ હતી. પુત્રવધૂ પણ જાણે પોતાનાં માતા-પિતાને વિદાય આપતી હોય તે રીતે ધ્રુસકે-ધ્રુસકે રડી પડી હતી. સસરા અને સાસુ પણ પોતાની દીકરીને વળાવતાં હોય તેવી રીતે ભીની આંખે આંખે વિદાય આપી હતી. લગ્નમાં હાજર તમામ લોકોની આંખો ભીની થઇ ગઇ હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિ સાથે જોડાયેલો મોટો ખુલાસો, જાણો કોણ છે અને આરોપી ક્યાંનો છે

સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિની થાણેથી ધરપકડ કરવામાં આવી, આરોપીએ ગુનો કબૂલ્યો.

અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર શંકાસ્પદ છત્તીસગઢથી પકડાયો

Aman Jaiswal Death: ટીવી અભિનેતાનુ 23 વર્ષની વયે મોત, બલિયામાં થશે અંતિમ સંસ્કાર

Arjun Kapoor ની સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત પડવાથી 6 લોકો થયા ઘાયલ

વધુ જુઓ..

નવીનતમ

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

યૂરિક એસિડમાં લાભકારી છે મૂળા, ઉપયોગ પહેલા જ ઓગળવા માંડે છે જોઈંટ્સ પર ચોંટેલા Purine ના પત્થર, જાણો કેવી રીતે કરશો સેવન ?

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

આગળનો લેખ
Show comments