Webdunia - Bharat's app for daily news and videos

Install App

અપૂરતા વરસાદને કારણે કચ્છ, ઉત્તર ગુજરાતમાં ૪૦%થી ઓછા જળસ્તરથી ચિંતાના વાદળો ઘેરાયા

અપૂરતા વરસાદને કારણે કચ્છ  ઉત્તર ગુજરાતમાં ૪૦%થી ઓછા જળસ્તરથી ચિંતાના વાદળો ઘેરાયા
Webdunia
સોમવાર, 22 ઑક્ટોબર 2018 (12:42 IST)
દિવાળી હજુ આવી પણ નથી તે અગાઉ ગુજરાતના કેટલાક જળાશયોની વિકટ સ્થિતિ સામે આવી રહી છે. સાધારણ વરસાદને પગલે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના જળાશયોમાં અત્યારથી જ સાધારણ સ્થિતિ છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સરેરાશ ૧૩.૬૬ ઈંચ સાથે ૩૮.૬૦% જ્યારે કચ્છમાં ૪.૩૭ ઈંચ સાથે ૧૩.૪૨% જળસ્તર છે. આ ઉપરાંત કુલ ૧૩ જળાશયો ખાલીખમ છે. આ પરિસ્થિતિમાં મે મહિના સુધી જળસંકટ કેવું ઘેરું બની શકે છે તે બાબત ચિંતાના વાદળો ઘેરા કરે તેવી છે.
ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં આ વખતે ૨૫.૦૯ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૭૬.૭૨% વરસાદ પડયો છે. જોકે, વરસાદનું પ્રમાણ દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારું જ્યારે કચ્છ, ઉત્તર ગુજરાતમાં નબળું રહ્યું છે. જે જળાશયો સંપૂર્ણ ખાલીખમ છે તેમાં કચ્છના સૌથી વધુ પાંચ છે.
આ સિવાય ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ૨૩.૯૨%, મહેસાણામાં ૩૨.૭૨%, સાબરકાંઠામાં ૪૧.૯૨%, અરવલ્લીમાં ૬૯.૮૧% જળસ્તર છે. રાજ્યના કુલ ૨૦૩ જળાશયોમાંથી ૧૯ સંપૂર્ણ ભરાયા છે. જેમાં ઉત્તર ગુજરાતના ૨, મધ્ય ગુજરાતના ૭, દક્ષિણ ગુજરાતના ૬ જ્યારે સૌરાષ્ટ્રના ૪ એમ કુલ ૧૯ જળાશયોનો સમાવેશ થાય છે. રાહતની વાત એ છે કે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ૬૭.૨૪% જળસ્તર છે. મધ્ય પ્રદેશમાં પડેલા સારા વરસાદે સરદાર સરોવર ડેમની સપાટી વધારવામાં મહત્વની ભૂમિકા અદા કરી છે.
જે જિલ્લાના જળાશયોમાં સૌથી ઓછું જળસ્તર છે તેમાં કચ્છ ઉપરાંત ૪.૪૯% સાથે દેવભૂમિ દ્વારકા, ૭.૭૯% સાથે બોટાદ, ૧૩.૭૯% સાથે મોરબી, ૧૬.૩૫% સાથે ખેડા, ૨૧.૨૮% સાથે જામનગરનો સમાવેશ થાય છે. તજજ્ઞાોના મતે જે જિલ્લાઓમાં વરસાદ ઓછો પડયો છે ત્યાં આગામી ફેબુ્રઆરીથી જ જળસંકટ સર્જાવવાનું શરૃ થઇ શકે છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ત્વચાની સારી સંભાળ માટે આ હર્બલ ફેસ મિસ્ટ બનાવો

ડુંગળી અને લસણ વગરની સ્વાદિષ્ટ મખાના કોફ્તા ગ્રેવી તૈયાર કરો, આ રહી વાયરલ રેસીપી.

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments