Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડેડિયાપાડામાં12 કલાકમાં જ 18 ઇંચ વરસાદ; નવીનગરીમાંથી 300થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા

Rain in Ahmadabad
Webdunia
મંગળવાર, 12 જુલાઈ 2022 (09:47 IST)
ડેડિયાપાડામાં12 કલાકમાં જ 18 ઇંચ વરસાદ; નવીનગરીમાંથી 300થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા
ડેડિયાપાડામાં રેકોર્ડ બ્રેક 18 ઇંચ વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.

નવીનગરીમાં પાણીનો ભરાવો થતાં 300થી વધારે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. સવારે 8 વાગ્યાથી વરસી રહેલો વરસાદ રાતના 8 વાગ્યે પણ અણનમ રહયો હતો. 12 કલાકમાં જ ડેડીયાપાડામાં 18 ઇંચ વરસાદ વરસતાં સર્વત્ર જળબંબાકાર થઇ ગયું હતું.વનરાજીથી ઘેરાયેલાં ડેડીયાપાડા તાલુકામાં બે દિવસથી બારે મેઘ ખાંગા થઇ ગયાં છે. સમગ્ર તાલુકામાં 18 ઇંચ વરસાદ વરસતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. સોમવારે સવારે પણ મેઘરાજાએ તોફાની બેટીંગ કરી હતી.ડેડીયાપાડા ના મુખ્ય ત્રણે માર્ગો પર પાણી ફરી વળતાં બંધ થઇ ગયાં હતાં. ડેડીયાપાડા નગરમાં પણ વરસાદી પાણીનો ભરાવો થતાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં. ડેડીયાપાડામાં નવીનગરીના વિસ્તારમાં ચારે તરફથી પાણી ભરાઈ ગયાં હતાં.મકાનોમાંથી 300 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે

અને તેમને પ્રાથમિક શાળાના મકાનમાં રાખવામાં આવ્યાં છે. ધામણખાડીનાપુલ ઉપર પણ પાણી ફરી વળતાં વાહનવ્યવહાર બંધ થઇ ગયો હતો.

ધામણ નદીના પાણી પટેલચાલી અને પારસી ટેકરા વિસ્તારમાં લોકોના ઘરોમાં પ્રવેશી ગયાં હતાં.ડેડીયાપાડામાં મુશળધાર વરસી રહયો છે.

હજી પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. સુકાઆંબા ગામે તળાવ ઓવરફલો થતાં પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યાં હતાં.

આ સમયે ત્રણ મકાનોમાં રહેતાં લોકો ફસાઇ જતાં તેમને બચાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે.ડેડીયાપાડામાં 18 ઇંચ વરસાદ વરસતાં પીપલા– કંકાલા માર્ગ ધોવાઇ ગયો છે.

જયારે ખતામથી કલતર જવાના માર્ગ પર તેમજ કરજણ નદીના નવાગામ પુલ પરથી પાણી ઓવરફલો થઇ વહી રહયાં છે. આ ઉપરાંત ખોખરાઉમર ગ્રામ પંચાયતની દિવાલ તુટી પડી હોવાના અહેવાલ છે.

ચીકદાથી આંબાવાડી જવાનો આંતરિક માર્ગ ધોવાયો છે. માર્ગો ધોવાઇ જતા ગ્રામ્ય વિસ્તારોનો ડેડિયાપાડા તાલુકા મથક સાથેનો સંપર્ક તુટી ગયો છે. રસ્તાઓ ચાલુ કરવા માટે ટીમો કામે લાગી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બટર રાઈસ

આ 5 સ્ટેપમાં ઘરે જ બનાવો યાખની ચિકન પુલાવ

સૂર્ય અને ચંદ્રગ્રહણના દિવસે જન્મેલા બાળકો કેવા હોય છે ? જાણો તેમના સ્વભાવ અને ભવિષ્ય વિશે

મોરિંગા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક, જાણો તેને તમારા આહારમાં કેવી રીતે સામેલ કરવું?

Paneer Thecha Recipes - આ રેસીપી બનાવશો તો ઘરમા બધા જ સફાચટ કરી દેશે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

જાણીતા સાઉથ એક્ટર અભિનેતા-દિગ્દર્શકનું નિધન, 48 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, સિનેમા જગતમાં શોક

સોનુ સૂદની પત્ની સોનાલી સૂદને મુંબઈ-નાગપુર હાઈવે પર અકસ્માત, ઈજા થઈ હતી

KL Rahul and Athiya Shetty Baby - આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ઘરે આવી નાનકડી પરી, સુનીલ શેટ્ટી બન્યા નાના

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

આગળનો લેખ
Show comments