Webdunia - Bharat's app for daily news and videos

Install App

કરણીસેનાના સભ્યોએ ફિલ્મ પદ્માવત જોઈ હોવાની વાત તદ્દન ખોટી: ગુજરાત કરણી સેનાના વડા

Webdunia
બુધવાર, 24 જાન્યુઆરી 2018 (17:29 IST)
ગુજરાત કરણી સેનાના વડા રાજભાએ કહ્યું છે કે, “મંગળવારે મોડી સાંજે કરણીસેનાના સભ્યોએ ફિલ્મ પદ્માવત જોઈ હોવાની વાત તદ્દન ખોટી છે. કરણીસેનાના કોઈ સભ્યોએ ફિલ્મ જોઈ નથી. “રાજભાએ વધુંમાં કહ્યું હતું કે,” લોકન્દ્રસિંહ કાલવી ગઈ કાલે મંગળવારે ગુજરાતમાં હતા. તેઓ દિવસભર તેમની સાથે જ હતા. તેઓએ આ ફિલ્મ જોઈ નથી. બીજું કે અમદાવાદમાં જે લોકોએ તોફાનો કર્યા છે તે રાજપૂત નહોતા. અસામાજિક તત્ત્વો  દ્વારા એ તોડફોડ કરવામાં આવી છે. રાજપૂત કરણી સેના દ્વારા આ ફિલ્મને લઈને વિરોધ ચાલુ રાખ્યો છે. બંધનું એલાન પણ કાયમ છે. 25મીએ જનતા કર્ફ્યૂ રહેશ. રાજભાએ વધુંમાં કહ્યું હતું કે,”સંજય લીલા ભણશાલી તેમની ફિલ્મની રિલિઝ થાય તે માટે આવા ગતકડાં કરે છે. સંજય લીલા ભણશાલી ખોટું બોલે છે. કરણીસેનાએ અગાઉ જ સ્પષ્ટતા કરી છે કે તે આ ફિલ્મ જોવાના નથી. કરણીસેનાએ આ ફિલ્મ જોઈ નથી. રાજભાએ કહ્યું હતું કે,”બે કરણી સેના છે. એક રાજપૂત કરણી સેના અને બીજી રાષ્ટ્રીય કરણી સેના છે. રાજપૂત કરણી સેના આ ફિલ્મને થીએટરોમાં પ્રદર્શિત  નહિં થવાદે. આ ફિલ્મને લઈને વિરોધ ચાલુ જ રહેશે 25મીએ  જનતા કર્ફ્યૂ ચાલુ જ રખાશે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments