Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચૂંટણી બાદ પાણીનો વિકટ પ્રશ્નઃ સરકારની ગુલબાંગો છતાં ટેન્કર રાજ

ચૂંટણી બાદ પાણીનો વિકટ પ્રશ્નઃ સરકારની ગુલબાંગો છતાં ટેન્કર રાજ
Webdunia
ગુરુવાર, 2 મે 2019 (15:11 IST)
ગુજરાતમાં કરોડોના ખર્ચે નર્મદા યોજના આધારિત પાણી પુરવઠા યોજના સહિતની પારાવાર યોજનાઓ અને જાહેરાતો વચ્ચે પણ હજુ રાજ્યના અનેકલ અંતરિયાળ ગામડાઓ જ નહીં પણ કેટલાક ઠેકાણે તો શહેરોમાં પણ લોકોને પીવાના પાણી માટે સરકારી અને ખાનગી પાણીની ટેન્કરો પર નિર્ભર રહેવું પડે છે. ખૂદ સરકાર એવું કબૂલે છે કે, રાજ્યમાં 22 તાલુકાઓમાં લોકોને પીવાનું પાણી આપવા માટે પાણીની ટેવ્કરો દોડાવામાં આવી રહી છે. સરકારના સત્તાવાર રાજ્યમાં 62 તાલુકાના 258 ગામો અને 263 ફળિયા મળી કુલ 521 વિસ્તારોમાં 361 ટેન્કરોના 1581 ફેરાઓ મારફતે પાણી પૂરું પાડવામાં આવે છે. આવતાં દિવસોમાં આ સંખ્યામાં મહદઅંશે વધારો થવાની શક્યતા છે. દરમિયાન પાવીના પાણીની સ્થિતિ અંગે તાજેતરમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે નર્મદા નહેરથી જોડાયેલ હોય તેવા તથા સૌની યોજના મારફતે મચ્છુ-2, મચ્છુ-1, આજી-1, ન્યારી-1, આજી-3, રણજીત સાગર, સુખભાદર, ગોમા, ફલકુ વગેરે ડેમોમાં પાણી ભરેલ છે. કચ્છ બ્રાન્ચ કેનાલ મારફતે ટપ્પર, સુવઇ અને ફતેગઢમાં પાણી ભરવામાં આવ્યા છે, જે આગામી ચોમાસા સુધી ચાલશે. રાજ્યના અન્ય ડેમ જેવા કે ધરોઈ, શેત્રુંજી વગેરેમાં પાણીનો જે સંગ્રહ ઉપલબ્ધ હોય તે માત્ર ગુજરાત રાજયના હિસ્સાનું હોય છે. જ્યારે, સરદાર સરોવર ડેમ આંતર રાજ્ય યોજના હોવાથી તેમાં સંગ્રહ થયેલ પાણી માત્ર ગુજરાત રાજ્યનું નહીં, પરંતુ રાજસ્થાન અને મહારાષ્ટ્રના હિસ્સાનું તથા તદ્દઉપરાંત ડેમના નીચવાસમાં નદીમાં છોડવાનું તથા બાષ્પીભવન થનાર જથ્થાનું એમ બધું મળીને હોય છે. હાલમાં ડેમમાં પાણીનું લેવલ 119.50 મીટર છે. અને હાલનો જીંવત સંગ્રહ 0.93 મીલીયન એકર ફીટ છે. હજુ પણ મધ્ય પ્રદેશના ઉપરવાસના ડેમમાંથી 0.35 મીલીયન એકર ફીટ જથ્થો છોડવાનો બાકી રહે છે અને તેથી હાલમાં વધુ પડતું પાણી ઉપરવાસમાંથી છોડાતું હોવાનો કે પાણીનું લેવલ વધારે પડતું હોવાનો પ્રશ્ર્ન ઉપસ્થિત થતો નથી. ગઈ સાલ તા.29 એપ્રિલના રોજ 104.33 મીટર હતુ, એટલે કે ટનલ મારફતે પાણી લેવું પડતુ હતું અને 20 ફેબ્રુઆરી 2018 થી ટનલ નો ઉપયોગ શરૂ કરેલ હતો. તેની સરખામણીએ ચાલુ સાલે પરિસ્થિતિ સારી છે. 30 જુલાઇ-2019 સુધીમાં પીવા/ઘરવપરાશના પાણી માટે પૂરતું આયોજન કરવામાં આવ્યું હોવાના નાયબ મુખ્ય પ્રધાને દાવો કર્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

વધુ જુઓ..

નવીનતમ

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

RIP Manoj Kumar: આ ફિલ્મને જોતા જ મનોજ કુમારે બદલી નાખ્યુ હતુ પોતાનુ નામ, આ હતુ અસલી નામ

આગળનો લેખ
Show comments