Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિઠ્ઠલભાઈ રાદડિયા અજેય ખેડૂત નેતા અને ગરીબોના બેલી હતાં: વિજય રૂપાણી

Webdunia
મંગળવાર, 30 જુલાઈ 2019 (15:39 IST)
વિઠ્ઠલભાઈના જવાથી ગુજરાતની નેતાગીરીમાં બહુ જ મોટી ખોટ પડશે: વિજય રૂપાણી 
અમદાવાદ: જામકંડરોણા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લાંબી બીમારી બાદ અવસાન પામેલ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાના પાર્થિવ દેહને શ્રદ્ધાસુમન અર્પણ કરી તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. મુખ્યમંત્રીએ પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાના દુઃખદ અવસાન અંગે ઘેરા શોક અને ઊંડા દુઃખની લાગણી વ્યકત કરતા જણાવ્યું હતું કે, વિઠ્ઠલભાઈ અજેય ખેડૂત નેતા અને ગરીબોના બેલી હતાં. 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે તેઓ જમીની કાર્યકર હતાં, ખુબ સંઘર્ષ કરી તેઓ લોકપ્રિય નેતા બન્યા હતાં. તેમના જવાથી ગુજરાતની નેતાગીરીમાં બહુ મોટી ખોટ પડશે. સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાના પુત્ર અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડિયાને મળી તેમણે દુઃખના સમયે સૌ લોકો તેમની સાથે હોવાનો સધિયારો પાઠવ્યો હતો. તેમણે વિશ્વાસ જતાવ્યો હતો કે સ્વ. વિઠ્ઠલભાઈના અધૂરા સ્વપ્નો ને જયેશભાઈ અને તેમની ટીમ પુરા કરશે.  
સ્વ. વિઠ્ઠલભાઈના અંતિમ દર્શને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ, મંત્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા, પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી,  ગોરધન ઝડફિયા, રાજકીય, સામાજિક અગ્રણીઓ તેમજ કલેકટર ડો. રાહુલ ગુપ્તા, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, મ્યુ કમિશ્નર બંછાનિધિ પાની, જિલ્લા વિકાસ અધિકારી અનીલ રાણાવાસીયા, સામાજિક અને સહકારીક્ષેત્રના આગેવાનો તેમજ સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો, મોટી સંખ્યામાં ગ્રામજનોએ સ્વ. વિઠ્ઠલભાઈને પુષ્પાંજલિ અર્પિત કરી હતી.

સંબંધિત સમાચાર

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

આગળનો લેખ
Show comments