Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિસાવદર તાલુકાના કાલસારીમાં ત્રણ આંખ ધરાવતો વાછરડો જન્મ્યો

Webdunia
શુક્રવાર, 22 જાન્યુઆરી 2021 (11:28 IST)
વિસાવદર તાલુકાના કાલસારી ગામે એક ખેડૂતની ગાયને 3 આંખવાળો વાછરડો જન્મ્યો હતો. જોકે, બેજ દિવસમાં તેનું મોત થયું હતું. આ વાછરડાને જોવા લોકો ઉમટ્યા હતા.વિસાવદર તાલુકાના કાલસારી ગામના ખેડૂત કચરાભાઇ અરજણભાઇ સુખડિયાનું ખેતર ગોવિંદપરા ગામની સીમમાં આવેલું છે. તે માલઢોર પોતાના ખેતરેજ રાખે છે. 4 દિવસ પહેલાં તેમની ગાયે 3 આંખવાળા વાછરડાને જન્મ આપ્યો. તેને જોઇ પરિવારજનો અચરજ પામ્યા હતા.

આ વાત ફેલાતાં ગામલોકો આ વિચિત્ર વાછરડાને જોવા ઉમટી પડ્યા હતા. પશુ ડોક્ટરને બોલાવતાં તેણે અભિપ્રાય આપ્યો હતો કે તે થોડા કલાકજ જીવશે. કારણકે 3 આંખ હોવાની સાથે તેનું મોઢું એક આંગળજ ખુલતું હતું. આથી તે દૂધ પી શકતો નહોતો. તેમની વાત સાચી ઠરી હતી. જન્મના બેજ દિવસ બાદ વાછરડો મૃત્યુ પામ્યો હતો.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments