Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાયુ'નાં કારણે સ્થળાંતરિત થયેલા 2.45 લાખ લોકોને મળશે સહાયઃ વિજય રૂપાણી

વાયુ
Webdunia
શુક્રવાર, 14 જૂન 2019 (18:07 IST)
અરબી સમુદ્વમાં ઉદ્ભવેલું વાયુ વાવાઝોડું હવે ગુજરાતનાં દરિયાકિનારે નહીં ટકરાય પરંતુ હવે તે દરિયાઇ માર્ગે ઓમાન તરફ ફંટાશે. વાવાઝોડાની દિશા બદલાઇ છે તેમ છતાંય ગુજરાત પર હજુય ખતરો મંડરાયેલો રહ્યો છે . રાજ્યનાં દરિયાકાંઠે આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના લીધે સરકારે આ બાબતની ગંભીરતા લઇને વધુ 48 કલાક સુધી હાઇએલર્ટ યથાવત રાખ્યુ છે. ખુદ મુખ્યમંત્રી વિજય રૃપાણી વાવાઝોડાની પરિસ્થિતીનુ સ્ટેટ ઇમરજન્સી રિસોપન્સ સેન્ટર પરથી સતત મોનીટરીંગ કરી રહ્યાં છે. તેમણે ઝીરો કેજ્યુલીટી સાથે સમગ્ર તંત્રને જયાં સુધી વાવાઝોડાનો ખતરો ટળે નહી ત્યાં સુધી ખડેપગે રહેવા આદેશ આપ્યો છે.સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે, 'પોણા ત્રણ લાખ વિસ્થાપિત લોકોને સહાય કરવામાં આવશે. લગભગ સાડા પાંચ કરોડ રૂપિયા તેમને કેશ ડોલ સ્વરૂપે ફાળવવામાં આવશે. જેમાં બાળકોને 45, મોટાઓને 60 રૂપિયા, ત્રણ દિવસ પેટે આપવામાં આવશે' સીએમ વિજય રૂપાણી અને ડે.સીએમે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે, 'ગુજરાત પરનો ખતરો પૂર્ણ થયો છે. બપોર પછી ત્યાં પહોંચેલા બધા અધિકારીઓને પરત બોલાવવામાં આવશે. આવતીકાલ સુધીમાં બધા જ તંત્ર રાબેતા મુજબ શરૂ થઇ જશે. ભગવાનનાં આશીર્વાદથી બધું બરાબર છે.'

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી સ્પેશિયલ પ્રિમિક્સ કેવી રીતે બનાવશો-

Skin Care tips- જો તમે આ કોરિયન બ્યુટી ટિપ્સને ફોલો કરશો તો ત્વચાની સમસ્યાઓ ઓછી થશે અને તમારો ચહેરો ચમકશે

બોધ વાર્તા ગુજરાતી- "જે થયું તે થઈ ગયું.

April Fools Day History- એક એપ્રિલના દિવસે જ શા માટે ઉજવાય છે એપ્રિલ ફૂલ્સ ડે

યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ડુંગળીનું સેવન ફાયદાકારક છે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વધુ જુઓ..

નવીનતમ

Jokes- એપ્રિલ ફૂલ જોક્સ

ગુજરાતી જોક્સ - ઘઉં વેચવા ગયો

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

આગળનો લેખ
Show comments