Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાંતિપૂર્ણ રીતે રથયાત્રાપૂર્ણ થતાં મુખ્યમંત્રીએ તંત્રનો માન્યો આભાર

Webdunia
સોમવાર, 12 જુલાઈ 2021 (13:48 IST)
જનતા જનાર્દને કોવિડ સંક્રમણ નિયંત્રણ પ્રોટોકોલ પાલન સાથે નીકળેલી રથયાત્રામાં આપેલા સહયોગ માટે મુખ્યમંત્રીએ આભાર વ્યકત કર્યો હતો. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૪મી જગન્નાથ રથયાત્રા શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા વાતાવરણમાં પૂર્ણ થવા અંગે પોલીસતંત્ર અને વહિવટી તંત્ર તેમજ મહાનગરપાલિકા તંત્રને અભિનંદન પાઠવી તેમની કાર્યપદ્ધતિને બિરદાવી છે. 
 
મુખ્યમંત્રીએ આ વર્ષની જગન્નાથ રથયાત્રા કોવિડ સંક્રમણ નિયંત્રણ ગાઇડલાઇનના પાલન સાથે ભકતો-શ્રદ્ધાળુઓની આસ્થાનો ખ્યાલ રાખીને નિયંત્રીતપણે યોજવામાં આવી હતી તેનો ઉલ્લેખ કરતાં નગરજનોનો પણ આ રથયાત્રા સફળતાપૂર્વક પાર પાડવામાં જે સહયોગ મળ્યો છે તેનો પણ આભાર વ્યકત કર્યો છે.
 
તેમણે આ રથયાત્રામાં સહકાર આપવા માટે જગન્નાથ મંદિરના ટ્રસ્ટીશ્રીઓ, મહંત દિલીપદાસજી મહારાજનો પણ આભાર માન્યો છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments