Festival Posters

વિજય રૂપાણી સળંગ ચાર વર્ષ પૂર્ણ કરનારા ગુજરાતના પાંચમાં મુખ્યમંત્રી બન્યાં

Webdunia
શુક્રવાર, 7 ઑગસ્ટ 2020 (14:40 IST)
વિજય રૂપાણી ૭ ઓગસ્ટના ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાર વર્ષ પૂરા કરશે. આ સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સતત ચાર વર્ષ પૂરા કરનારા તેઓ પાંચમાં મુખ્યમંત્રી બની જશે. ૧ મે ૧૯૬૦થી અત્યારસુધી ગુજરાત કુલ ૧૬ મુખ્યમંત્રી જોઇ ચૂક્યું છે. આ ૧૬માંથી ચાર જ મુખ્યમંત્રી એવા છે જેઓ પોતાના કાર્યકાળના સતત ચાર વર્ષ પૂરા કરી શક્યા છે. જેમાં હિતેન્દ્ર દેસાઇ ૩ એપ્રિલ ૧૯૬૭થી ૧૨ મે ૧૯૭૧ (૪ વર્ષ ૧ મહિના ૯ દિવસ), માધવસિંહ સોલંકી  ૭ જૂન ૧૯૮૦થી ૧૦ માર્ચ ૧૯૮૫ ( ૪ વર્ષ ૯ મહિના ૩ દિવસ), અમરસિંહ ચૌધરી ૬ જુલાઇ ૧૯૮૫થી  ૯ ડિસેમ્બર ૧૯૮૯ (૪ વર્ષ ૫ મહિના ૩ દિવસ), નરેન્દ્ર મોદી ૨૨ ડિસેમ્બર ૨૦૦૨થી ૨૨ મે ૨૦૧૪ (૧૧ વર્ષ ૫ મહિના) જ મુખ્યમંત્રીઓ છે જેમણે પોતાના કાર્યકાળના સતત ચાર વર્ષ પૂરા કર્યા છે. આનંદીબહેન પટેલે ૨૨ મે ૨૦૧૪થી ૭ ઓગસ્ટ ૨૦૧૬ એમ કુલ ૨ વર્ષ ૭૭ દિવસ ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ સંભાળ્યો હતો. તેમના સ્થાને ૭ ઓગસ્ટથી ૨૦૧૬થી વિજય રૃપાણી મુખ્યમંત્રી તરીકેની જવાબદારી અદા કરી રહ્યા છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો

શું રાત્રે મોડે સુધી સૂવાથી વજન ઘટાડવું થઈ જાય છે મુશ્કેલ ? જાણો શું કહે છે વિશેષજ્ઞ

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments