Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાપીમાં રૂ. પ૦ કરોડના ખર્ચે રેલવે ક્રોસીંગ ફલાય ઓવર નિર્માણ પામશે

Webdunia
મંગળવાર, 16 માર્ચ 2021 (17:16 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના સુરત  મહાનગર અને વાપી તથા ધ્રોળ નગરોમાં માળખાકીય સુવિધા વિકાસ સહિતના રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ લાઇન, રેલવે ફલાય ઓવર તેમજ જનભાગીદારી હેઠળના વિવિધ કામો માટે સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રૂ. ૧૬૫.૨૦ કરોડ મંજૂર કર્યા છે.
 
મુખ્યમંત્રીએ આ હેતુસર સુરત મહાનગરપાલિકાને રૂ. ૧૧૪.૬૬ કરોડ ફાળવ્યા છે. સુરત મહાનગરમાં આ રકમમાંથી ખાનગી સોસાયટી જનભાગીદારીના કામો અંતર્ગત સી.સી. રોડ, સ્ટ્રીટ લાઇટ, પાણીની પાઇપલાઇન અને ડ્રેનેજ લાઇનના ૭૭પ કામો હાથ ધરાવાના છે.
 
મુખ્યમંત્રીએ આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશાને વેગ આપતાં વિકાસ કામો માટે સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મહાપાલિકા-નગરપાલિકાઓને સીધી જ નાણાં-ગ્રાન્ટ ફાળવણીનો અભિગમ અપનાવ્યો છે.
 
મુખ્યમંત્રીએ નાણાંકીય વર્ષ ર૦ર૦-ર૧માં અત્યાર સુધી કુલ રૂ. ૩૧૨૦ કરોડની રકમ મહાનગરો-નગરોને સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત મહાનગર ઉપરાંત વાપી નગરપાલિકાને જી.આઇ.ડી.સી. જે ટાઇપ રોડ તથા નામધા રોડને જોડતો રેલવે ક્રોસીંગ ફલાય ઓવર બનાવવા માટે રૂ. પ૦ કરોડની ગ્રાન્ટ ફાળવી છે.
 
એટલું જ નહિ, ધ્રોળ નગરપાલિકાને પેવર બ્લોક નાખવાના કામ માટે રૂ. પ૪ લાખ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના આ પારદર્શી અને ત્વરિત નિર્ણાયકતા પૂર્ણ અભિગમને પરિણામે રાજ્યના મહાનગરો-નગરોને વિશ્વકક્ષાના સ્માર્ટ સિટીઝ તરીકે વિકસીત થવાનો માર્ગ વધુ સરળ થયો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

વધુ જુઓ..

નવીનતમ

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

આગળનો લેખ
Show comments