Webdunia - Bharat's app for daily news and videos

Install App

શંકરસિંહ વાઘેલાએ ટ્વિટ કરીને કહ્યું ‘Govt of India Pvt.Ltd’ હવે દૂર નહી...!

Webdunia
શનિવાર, 6 માર્ચ 2021 (19:07 IST)
સરકારી કંપનીઓના ખાનગીકરણને લઇને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. બાપૂએ કેન્દ્ર સરકારની તુલના ખાનગી કંપની સાથે કરી એક ટ્વિટ પણ કર્યું છે. જેની રાજકીય વર્તુળમાં ખૂબ ચર્ચા થઇ રહી છે. 
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે આ સરકાર દર વખતે બે લાખ નોકરી આપવાનો વાયદો કરે છે. પરંતુ વર્ષો વિતી ગયા પછી પણ હજુ સુધી યુવાનોને નોકરી મળી નથી, ખુદ સરકારના આંકડા જ સાક્ષી પુરી રહ્યા છે. સરકારે 4 વર્ષમાં ફક્ત 1 લાખ નોકરી આપી છે. જ્યારે તેમની સરકારે 1996માં ફક્ત 1 વર્ષમાં જ 1 લાખ યુવાનોને સરકારી નોકરી આપી હતી. 
 
તેમણે કહ્યું હતું કે પ્રકારે સરકારી કંપનીઓનું ખાનગીકરણ થઇ રહ્યું છે તેનાથી એવું લાગે છે કે જલદી જ સરકાર પણ ખાનગીકરણ થશે અને ગર્વમેન્ટ ઓફ ઇન્ડીયા પ્રાઇવેટ લિમિટેડ નામથી ઓળખાશે. 
 
ગુજરાતના રાજકારણમાં શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં ફરી એકવાર પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના નેતા ભરત સિંહ સોલંકીએ પણ આ નિર્દેશ આપ્યા છે કે જો પાર્ટી હાઇકમાન્ડ કહેશે તો શંકર સિંહને ફરીથી પાર્ટીમાં સામેલ કરવામાં આવશે. બની શકે છે કે કોંગ્રેસમાં જવા માટે બાપૂએ મોદી સરકાર વિરૂદ્ધ મોરચો માંડ્યો હોય અને સરકારના નિર્ણયોને લઇને ટ્વિટ કરીને પોતાને મોદી વિરોધી ગણાવવાનો પ્રયત્ન
કરી રહ્યા હોય.

<

વિધાનસભામાં સરકારે જાહેર કરેલા આંકડાઓ અનુસાર ગુજરાતમાં શિક્ષિત બેરોજગારો 4 લાખ થી વધુ છે અને તેની સામે સરકારી નોકરી 2 વર્ષમાં માત્ર 1777 આપી.

જો મારી સરકાર 1996 માં 1 વર્ષના ટુંકા ગાળામાં 1 લાખ સરકારી નોકરી આપી શકે તો આજની સરકાર કેમ નહીં? pic.twitter.com/TaItfcMZr7

— Shankersinh Vaghela (@ShankersinhBapu) March 6, 2021 >

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments