Webdunia - Bharat's app for daily news and videos

Install App

રથયાત્રા માટે 30 ટન શીરો બનાવવાનુ શરૂ, 3000 કિલો સુજી, 3000 કિલો ખાંડ અને 3000 કિલો ઘીનો ઉપયોગ

Webdunia
શુક્રવાર, 1 જુલાઈ 2022 (08:18 IST)
વડોદરાઃ ઇસ્કોનના ઉપક્રમે 40  વર્ષની પરંપરા મુજબ આગામી તા.1 લીએ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોવાથી શહેર પોલીસ કમિશનરે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મીટિંગ કરી બંદોબસ્તની સ્કીમ તૈયાર કરી છે.  
 
બે વર્ષ બાદ કોઈ જાતના નિયત્રણ વગર નીકળનારી રથયાત્રામાં આ વખતે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે તેવી શક્યતા છે. જેને ધ્યાનમાં રાખીને ૩૦ ટન શીરાનો પ્રસાદ બનાવવાનુ નક્કી કરાયુ છે.
 
એક સાથે સાત થી આઠ ગેસના ચૂલા પર શીરો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 15 થી 16 જેટલા મોટા તપેલામાં શીરો બનાવવામાં આવી રહ્યો છે.  30 ટન શીરો બનાવવા માટે 50 જેટલા ગેસના બોટલનો વપરાશ થવાનો છે.
 
 શીરા માટે ૩૦૦૦ કિલો સુજી, ૩૦૦૦ કિલો ખાંડનો ઉપયોગ થઈ રહ્યો છે. સાથે સાથે ૩૦૦૦ કિલો ઘી ઉપયોગમાં લેવામાં આવી રહ્યુ છે. શીરા માટે 250 કિલો ડ્રાયફ્રુટ પણ મિક્સ કરવા માટે તૈયાર રાખવામાં આવ્યુ છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments