Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા

Webdunia
ગુરુવાર, 2 એપ્રિલ 2020 (13:56 IST)
નિઝામપુરા વિસ્તારના 52 વર્ષની ઉંમરના કોરોના પોઝિટિવ દર્દીનું આજે વહેલી સવારે મૃત્યુ થયું હતું. શ્રીલંકાનો પ્રવાસ કરીને આવેલા આ વ્યક્તિને 16 માર્ચે શંકાસ્પદ કોરોનાના લક્ષણો દેખાવાના શરૂ થયા હતા અને તેઓ 19 માર્ચના રોજ સારવાર માટે દાખલ થયા પછી એમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમને સારવાર આપવામાં આવી રહી હતી. તેમના પછી તેમના પરિવારના 4 સભ્યોનો પણ કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને પણ સયાજી હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી હતી.
વડોદરાના ભાયલી ગામના રહેવાસી અને છેલ્લા 45 વર્ષથી અમેરિકાના શિકાગો ખાતે રહેતા છીતુભાઈ પટેલનું કોરોના વાઈરસથી મૃત્યુ થયું છે. 10 દિવસ પહેલા છીતુભાઈ પટેલ અને તેમની પત્ની મંજુલાબેન પટેલ કોરોના વાઈરસની મહામારીમાં સપડાયા હતા. બંનેની શિકાગો ખાતેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. દરમિયાન છીતુભાઈ પટેલનું 31 માર્ચે મોડી રાત્રે કોરોના વાઈરસથી મૃત્યુ થયું હતું. જેના કારણે અમેરિકાના ભારતીય સમાજમાં શોકની લાગણી ફેલાઈ હતી. તો બીજી તરફ છીતુભાઈની પત્ની મંજુલાબેનની હાલત સુધારા પર હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - પત્નીથી છૂટાછેડા

ગુજરાતી જોક્સ - વિસ્ફોટક સામગ્રી અંદર લઈ જવાની મનાઈ છે

ગુજરાતી જોક્સ -પરીક્ષાની તૈયારી

Gir national park- ગીર રાષ્ટ્રીય ઉદ્યાન

ગુજરાતી જોક્સ - કેટલા કરોડ વર્ષ

વધુ જુઓ..

નવીનતમ

આ કારણોસર પીઠમાં થાય છે દુ:ખાવો, ઉઠવુ-બેસવુ થઈ જાય છે મુશ્કેલ, Back Pain થી છુટકારો મેળવવા માટે અજમાવો આ ઉપાય

સોજી પોટેટો બોલ્સ

તમારા ચહેરાની ચમક પણ ઝાંખી પડી જશે, સ્વસ્થ ત્વચા માટે અનુસરો આ ટિપ્સ.

Tricks to remove dahi sourness: શું દહીં વાસી થવાને કારણે ખાટું થઈ ગયું છે? આ સરળ રસોડાની ટિપ્સથી સ્વાદને સંતુલિત કરો

Cabbage consume- કોબીના સેવન કરતા પહેલા જાણી લો, જંતુઓ છે જીવલેણ, જાણો તેનાથી કેવી રીતે બચી શકાય?

આગળનો લેખ
Show comments