Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં આગામી 24 કલાક તાપમાન યથાવત્ રહેવાની શક્યતાઓ; લોકોને શિયાળાનો અનુભવ

Webdunia
સોમવાર, 4 માર્ચ 2024 (11:30 IST)
- 1 અને 2 માર્ચના રોજ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો
- કમોસમી વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક 
-  આગામી 24 કલાક દરમિયાન પણ મહત્તમ તાપમાન યથાવત્ રહે તેવી શક્યતા

હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ અગાઉ આગાહી કરવામાં આવી હતી કે, અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડશે. ત્યારબાદ 1 અને 2 માર્ચના રોજ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં ગઈકાલે બપોર બાદ કાળા ડિબાંગ વાદળો વચ્ચે અમદાવાદમાં કમોસમી વરસાદે એન્ટ્રી લીધી હતી. કમોસમી વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જેની અસર મોડી રાત્રે અને વહેલી સવારે પણ જોવા મળી હતી.

ગઈકાલે માવઠા દરમિયાન અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં બરફના કરાં પડ્યા હતા, તેનું કારણ જણાવતાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, દક્ષિણ પશ્ચિમી સર્ક્યુલેશન સર્જાયું હતું, તેને કારણે ગુજરાત પર કમોસમી વરસાદના વાદળો બંધાયા હતા અને વરસાદ પડ્યો હતો. ગુજરાતના કેટલાક જિલ્લાઓ ધોધમાર તો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં બરફના કરાં પડવાની પણ ઘટના બની હતી. તેની પાછળનું કારણ સાઇક્લોનિક સર્ક્યુલેશન છે.

અમદાવાદ શહેરમાં ફક્ત 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં સાત ડિગ્રીનો તફાવત નોંધાયો હતો. જેમાં આજરોજ લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે ગઈકાલે લઘુતમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ઘટાડો નોંધાયો છે. જ્યારે છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ વાસીઓ અચાનક શરૂ થયેલી ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા હતા. તેવામાં કમોસમી વરસાદને કારણે મહત્તમ તાપમાન પણ 20 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આગામી 24 કલાક દરમિયાન પણ મહત્તમ તાપમાન યથાવત્ રહે તેવી શક્યતાઓ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર શંકાસ્પદ છત્તીસગઢથી પકડાયો

Aman Jaiswal Death: ટીવી અભિનેતાનુ 23 વર્ષની વયે મોત, બલિયામાં થશે અંતિમ સંસ્કાર

Arjun Kapoor ની સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત પડવાથી 6 લોકો થયા ઘાયલ

Breaking સૈફ અલી ખાન પર હુમલાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે

બચ્ચન પરિવારની 3 પેઢી Kutch ની મુલાકાતે,

વધુ જુઓ..

નવીનતમ

યૂરિક એસિડમાં લાભકારી છે મૂળા, ઉપયોગ પહેલા જ ઓગળવા માંડે છે જોઈંટ્સ પર ચોંટેલા Purine ના પત્થર, જાણો કેવી રીતે કરશો સેવન ?

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

આગળનો લેખ
Show comments