Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઊંઝા માર્કેટયાર્ડના વેપારીઓ ખેડૂત બિલના વિરોધમાં 25મીએ હડતાલ પાડશે

Webdunia
બુધવાર, 23 સપ્ટેમ્બર 2020 (14:46 IST)
સરકારે તાજેતરમાં ખેડૂતોને એપીએમસીથી મુક્તિ આપી કરેલા વિવિધ કૃષિ સુધારાનો ખેડૂત સંગઠનો દ્વારા આપેલા દેશવ્યાપી હડતાળને સમર્થન આપીને ઊંઝા માર્કેટયાર્ડ વેપારી એસોસીએશને પણ આગામી તા. 25-9-2020 શુક્રવારે ઊંઝા ગંજબજાર બંધ એલાન જાહેર કર્યું છે. સરકારના કૃષિ સુધારાઓને પગલે યાર્ડમાં કામકાજ કરતાં લાખો આડતીયાઓ તથા મજુર ભાઈઓ બેરોજગાર થવાની ભીતિથી ભારે વિરોધ થયો છે. તાજેતરમાં સરકારે જાહેરનામું બહાર પાડીને કૃષિ પેદાશો ઉપર એપીએમસી દ્વારા નિયમન નાબુદ કરી ખેડૂતોને પોતાના કૃષિ માલ એપીએમસી બહાર વેચાણ કરવા લીલીઝંડી આપી છે. આથી એપીએમસી હદ બહાર કૃષિ માલોને કોઈપણ વેચાણ કરવાની ખેડૂતોને છૂટ આપવામાં આવી છે. જેનાથી એપીએમસીના અસ્તિત્વ ઉપર ખતરો ઉભો થતાં તેની અસરથી વેપારીઓને પણ નુકશાનકર્તા બની રહેશે તેવી ભીતિ  ઉભી થઈ છે. ખેડૂતોના હિતમાં કહીને લેવાયેલું આ પગલું ખરેખર તો મોટી કોર્પોરેટ કંપનીઓને ફાયદો કરાવી ખેડૂતોને ઠગવા માટેની નીતિ પુરવાર થઈ રહી હોવાની સંભાવનાઓ વ્યક્ત થઈ છે. આ સંદર્ભે ઊંઝા માર્કેટયાર્ડ વેપારી એસોસીએશનની આજે મળેલી બેઠકમાં વિસ્તૃત ચર્ચા વિમર્શ બાદ પ્રમુખ જયંતિભાઈ પટેલના જણાવેલ છે કે બીલમાં સુધારાઓથી એપીએમસીમાં વેપાર કરનાર આડતીયાઓ અને વેપારીઓ બેરોજગાર થઈ જશે. ઉપરાંત લાખોની સંખ્યામાં મુનીમો, ટ્રાન્સપોર્ટરો, મજુરો, તોલાટ તથા પરચુરણ પેટીયું રળતા લોકો રોડ ઉપર આવી જવાની ભીતિથી ખેડૂત સંગઠનોએ તા. 25-9-20ને સુક્રવારના રોજ બંધના એલાનને ઊંઝા માર્કેટયાર્ડ એસોશિયેશનને પણ ટેકો જાહેર કરી તા. 25-9-20ના રોજ ઊંઝા માર્કેટયાર્ડનું કામકાજ બંધ રાખી યાર્ડ બંધનું એલાન આપતા કૃષિ સુધારાઓના વિરોધ ભારે ગરમી પકડી છે.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments