Biodata Maker

Udaipur murder case side effect - ગુજરાત રોડવેજે બંધ કરી પોતાની બસોની રાજસ્થાનમાં એંટ્રી

Webdunia
ગુરુવાર, 30 જૂન 2022 (16:01 IST)
ડુંગરપુર - ઉદયપુરમાં ટેલર કનૈયાલાલની હત્યા પછી ઉભા થયેલા હાલતના હવે સાઈડ ઈફેક્ટ (Udaipur murder case side effect)સામે આવવા લાગ્યા છે. ઉદયપુર સંભાગમાં તનાવપૂર્ણ માહોલને જોતા પડોશી રાજ્ય ગુજરાતે પોતાની રોડવેજ બસોને રાજસ્થાન-ગુજરાત બોર્ડર  (Rajasthan-Gujarat Border) પર જ રોકી દીધી છે. તેનાથી આ બસોમાં આવનારા મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.  ગુજરાતની સરકારી બસોને છોડીને અન્ય ખાનગી બસો  યથાવત રાજસ્થાનથી આવી જઈ રહી છે. 
 
મળતી માહિતી મુજબ ગુજરાત રોડવેજ પ્રબંધને ડુંગરપુર જીલ્લાના રતનપુર બોર્ડર પરથી રાજસ્થાનમાં આવનારી પોતાની રોડવેજની બસોને પોતાના રાજ્યના અંતિમ બસ સ્ટેંડ શામળાજીમાં રોકી દીધી છે. ગુજરાતના અમદાવાદ અને અન્ય જીલ્લામાંથી ઉદયપુર અને નાથદ્વારા આવનારી બસોને રાજસ્થાનની સીમા રતનપુરથી પહેલા ગુજરાતના અંતિમ બસ સ્ટેંડ શામળાજીમાં રોકવામાં આવી  રહી છે.  ગુરૂવારે સવારે શામળાજી બસ સ્ટેંડ પર ગુજરાત રોડવેજની લગભગ એક ડઝન બસના પૈડા ત્યા જ રોકી દેવામાં આવ્યા. 
 
શામળાજીમાં રાજસ્થાનના મુસાફરોને બસ બદલવી પડે છે
તે જ સમયે, ગુજરાતના વિવિધ બસ સ્ટેન્ડ પરથી ઉદયપુર ડિવિઝન માટે જતી સરકારી બસો પણ આગામી આદેશો સુધી દોડશે નહીં. ગુજરાતની સરકારી બસો બંધ થવાના કારણે રાજસ્થાન આવતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓએ શામળાજીથી વાહન બદલીને રાજસ્થાન તરફ આવવુ  પડશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

World River day - નર્મદા નદી વિશે માહિતી / Narmada river

તલનું શાક કેવી રીતે બનાવવી

વધુ જુઓ..

નવીનતમ

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

ધર્મેન્દ્રને મળ્યો પદ્મ વિભૂષણ તો ભાવુક થઈ હેમા માલિની, ફોટો શેર કરીને વ્યક્ત કરી ખુશી

Pehle Bharat Ghumo - આ પાંચ ભારતીય સ્થળ દુનિયાભરમાં છે પ્રસિદ્ધ, વિદેશી પર્યટકોની રહે છે ભીડ

અચલેશ્વર મહાદેવ મંદિર: જ્યાં શિવલિંગ રંગ બદલે છે, જાણો તેના વિશે

બોર્ડર 2 પર ગલ્ફ દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેની કમાણી પર કોઈ અસર પડી ન હતી,

આગળનો લેખ
Show comments