Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં 24 કલાકમાં બે યુવાનોએ આપઘાત કર્યોઃ જાણો કયા કારણથી આ ઘટના બની

Webdunia
સોમવાર, 25 ડિસેમ્બર 2023 (18:53 IST)
સુરતમાં છેલ્લા 24 કલાકમાં બે આપઘાતના બનાવો સામે આવ્યા છે, જેમાં એક 18 વર્ષીય યુવતીએ બર્થ ડે પહેલાં જ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. યુવતી પિતાની જેમ ડોક્ટર બનવાની ઈચ્છા ધરાવતી હતી. જોકે શાળામાં પરિણામ સારું ન આવ્યું હોવાથી સતત ડિપ્રેશનમાં રહેતી હતી, જ્યારે અન્ય એક બનાવમાં 24 વર્ષીય યુવકે ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.

મળતી માહિતી પ્રમાણે મૂળ બંગાળની 18 વર્ષીય શ્રુતિ મુકેશ હાજરા પાંડેસરા વિસ્તારમાં આવેલી કર્મયોગી સોસાયટીમાં પરિવાર સાથે રહેતી હતી. પિતા ડોક્ટર છે અને ઘરની નજીકમાં જ એક ક્લિનિક ચલાવે છે. પરિવારમાં એક ભાઈ છે. શ્રુતિ પરિવારની એકની એક દીકરી હતી. સુરતની ખ્યાતનામ હોટલમાં હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરતી હતી, સાથે સાથે ધોરણ-12 સાયન્સની પરીક્ષાની તૈયારી કરતી હતી.

ગતરોજ સાંજે ઘરના બીજા માળે શ્રુતિ પોતાના રૂમમાં હતી. માતા શાકભાજી લેવા બજાર ગયાં હતાં. ભાઈ અગાસી પર હતો. 11 વર્ષનો ભાઈ નીચે રૂમમાં આવ્યો ત્યારે બહેને દરવાજો નહીં ખોલતાં સ્લાઈડિંગ બારીમાંથી અંદર જોતાં બહેન છત સાથે લટકતી હાલતમાં મળી આવી હતી, જેથી બૂમા બૂમ કરતાં પરિવારજનો દોડી આવ્યાં હતાં.શ્રુતિ ડોક્ટર પિતાની જેમ ડોક્ટર બનવાની ઈચ્છા ધરાવતી હતી. જોકે પરિણામ સારું નહીં આવતાં માનસિક તણાવમાં રહેતી હતી. માર્ચ-2024માં શ્રુતિ ફરી પરીક્ષા આપવાની હતી. એ પહેલાં જ એણે આવું પગલું ભરી દુનિયાને અલવિદા કરી દીધી છે. જ્યોતિનો એક મહિના બાદ જન્મદિવસ આવી રહ્યો હતો, પરંતુ તેને આત્મહત્યાનું પગલું ભરી લેતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે. અન્ય એક બનાવમાં પાંડેસરા વિસ્તારમાં રહેતા મૂળ મહારાષ્ટ્રના 24 વર્ષીય જિતેન્દ્ર અખાડેએ ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. જિતેન્દ્રના છ મહિના પહેલાં જ પ્રેમ લગ્ન થયા હતા અને પ્રિન્ટિંગ કંપનીમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. હાલ તો આ યુવકનું આત્મહત્યા પાછળ કોઈ કારણ જાણવા મળ્યું નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments