Webdunia - Bharat's app for daily news and videos

Install App

કામરેજના ધારાસભ્ય સહિત બે ધારાસભ્યોને કોરોના, ભરતસિંહ સોલંકીને વેંટિલેટર પર રખાયા

કામરેજના ધારાસભ્ય સહિત બે ધારાસભ્યોને કોરોના  ભરતસિંહ સોલંકીને વેંટિલેટર પર રખાયા
Webdunia
બુધવાર, 8 જુલાઈ 2020 (10:01 IST)
ગુજરાતમાં મંગળવારે વધુ બે ધારસભ્યોને કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. તેમાં સત્તારૂઢ ભાજપના કામરેજના ધારાસભ્ય વીડી ઝાલાવાડીયા તથા બનાસકાંઠા જિલ્લાના વાવની મહિલા કોંગ્રેસ ધારાસભ્ય ગનીબેન ઠાકોરને કોરોના પોઝિટિવ આવ્યો છે. ગેનીબેન ગાંધીનગર સદસ્ય નિવાસમાં હોમ ક્વોરેન્ટાઈન થયા છે. શરૂઆતમાં તેઓ ઘરેથી જ કોરોનાની સારવાર લઈ રહ્યાં હતા, પરંતુ હવે ગેનીબહેનને એમએલએ ક્વાર્ટરમાંથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. 
 
સૂત્રોના જણાવ્યા અનુસાર કોરોના પોઝિટિવ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી તેમને અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં વેંટિલેટર પર રાખવામાં આવ્યા છે. જોકે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની તબિયત આજે પણ નાજુક છે. ભરતસિંહને પ્લાઝ્મા થેરાપીના બે ડોઝ અપાયા છે. જોકે, તબીબોએ જણાવ્યું હતું કે પ્લાઝ્મા થેરપી બાદ પણ તબિયતમાં કોઈ સુધારો નથી. ભરતસિંહ સોલંકી માટે આગામી 24 કલાક મહત્વના બની રહેશે. ભરતસિંહ સોલંકી અસ્થમાના પણ દર્દી છે, તેથી તેઓનું ઓક્સિજન લેવલ વારંવાર વધારવું પડી રહ્યું છે. ગત મહિના અંતમાં તેમને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. 
 
આ પહેલાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ કોરોના સંક્રમિત થયા હતા. ભાજપ અને કોંગ્રેસના કેટલાક અન્ય ધારાસભ્ય પણ કોરોના સંક્રમણ બાદ સ્વસ્થ્ય થયા છે. ગુજરતમાં અત્યાર સુધી 37,636 કેસ સામે આવ્યા છે તેમાંથી 1979 ના મોત થયા છે. જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા બદરૂદ્દીન શેખ પણ મૃતકોમાં સામેલ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

મુલતાની માટીમાં આ 3 વસ્તુઓ મિક્સ કરો, તમારા ચહેરાની ચમક વધશે.

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

આગળનો લેખ
Show comments