Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટીઆરપી ગેમ જોન દુર્ઘટના પછી એક્શન મોડમાં સરકાર, 6 અધિકારી સસ્પેંડ

Webdunia
સોમવાર, 27 મે 2024 (12:02 IST)
રાજકોટ. ટીઆરપી ગેમ જોનમાં આગ લાગ્યા બાદ 27 લોકોના મોત થયા. આ દુર્ઘટનામાં સરકાર સતત એક્શન મોડમાં લાગી ગઈ છે. અત્યાર સુધી 6 અધિકારીઓને સસ્પેંડ કરવામાં આવી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે સરકારે કાર્યવાહી કરતા નગર નિગમના નગર નિયોજક અને નગર અભિયંતાને સસ્પેંડ કરી દીધા હતા. ત્યારબાદ પથ નિર્માણ વિભાગના ઉપ અભિયંતાને પણ સસ્પેંડ કરવામાં આવ્યા. બીજી બાજુ રાજકોટ પોલીસ વિભાગે બે ઈસ્પેક્ટરને પણ સસ્પેંડ કર્યા છે. ત્યારબાદ જ માર્ગ અને મકાન વિભાગના એક કાર્યપાલક એંજિનિયરને પણ સસ્પેંડ કરવામાં આવી ચુક્યા છે. આ રીતે અત્યાર સુધી આ અગ્નિકાંડમાં 6 અધિકારીઓને સસ્પેંડ કરવામાં આવ્યા છે. 

<

#Newsupdate
राजकोट अग्निकांड मामले पर एक्शन में गुजरात सरकार
राजकोट शहर के 6 अधिकारी निलंबित*

नगर निगम के असिस्टेंट टाउन प्लानर एवं सिटी इन्जीमियर एवं पि डब्ल्यू डी विभाग के डेप्युटी इंजिनियर तथा एग्ज़िक्युटिव इंजिनियर को सस्पेंड किया गया
राजकोट पुलिस विभाग के दो पुलिस…

— Nirnay Kapoor (@nirnaykapoor) May 27, 2024 >
 
મુખ્યમંત્રીએ સ્થિતિનો તાગ મેળવ્યો   
ઉલ્લેખનીય છે કે રાજકોટના કાલાવાડ રોડ પર આવેલ ટીઆરપી ગેમિંગ જોનમાં આગ લાગવાની ઘટના પછી 27 લોકોનુ જીવતા સળગીને મોત થઈ ગયુ હતુ. બીજી બાજુ આગ એટલી ભયાનક હતી કે આ દુર્ઘટનામા જીવતા બળી જનારા લોકોની ઓળખ કરવી મુશ્કેલ હતી.  દુર્ઘટના પછી સતત રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે. બીજી બાજુ સીએમ ભૂપેન્દ્ર પટેલ પોતે આ સંપૂર્ણ ઘટનાને મોનીટર કરી રહ્યા છે. દુર્ઘટના પછી સીએમ ભૂપેન્દ્ર પટેલ પોતે ગૃહ મંત્રી સાથે સાથે દુર્ઘટના સ્થળ પર ગયા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. અ સાથે જ તેમણે આ મામલા દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની વાત પણ કરી હતી.  

<

#WATCH | Gujarat CM Bhupendra Patel along with Home Minister Harsh Sanghavi takes stock of the situation at TRP game zone in Rajkot where a massive fire broke out yesterday claiming the lives of 27 people. pic.twitter.com/vmyj9wkpGb

— ANI (@ANI) May 26, 2024 >
 
ટીઆરપી ગેમ જોન પાસે નથી ફાયર એનઓસી 
બીજી બાજુ દુર્ઘટનાનો સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યો છે. સીસીટીવી ફુટેજમાં જોવાથી જાણ થાય છે કે એક્સટેંશન એરિયામાં વેલ્ડિંગને કારણે આગ લાગી હતી. આગ લાગ્યા બાદ ત્યા હાજર ફાયર એક્સટિંગયુશર્સ નો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. પણ આગ એટલી વધી ગઈ કે તેના પર કાબુ ન મેળવી શકી. બીજી બાજુ તપાસમાં જાણ થઈ છે કે  ટીઆરપી ગેમ જોન પાસે ફાયર એનઓસી પણ નથી. સ્ટેડિંગ કમિટી ચેયરમેન જૈમિન ઠાકરે કહ્યુ કે જે પણ આ માટે જવાબદાર હશે તેમને માફ નહી કરવામાં આવે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Curry Leaves Benefits: જો તમે રોજ સવારે ખાવ છો કઢી લીમડાના પાન તો મળશે આ ગજબના ફાયદા

BR Ambedkar Quotes in Gujarati - ડૉ. ભીમરાવ આંબેડકરના અમૂલ્ય વિચારો

રોજ પીવો કાળી દ્રાક્ષનું જ્યુસ, તમારા લટકતા પેટથી મળશે છુટકારો

Raw Mango Launji કેરી ની લૌંજી ની રેસીપી

પત્ની માટે રોમાંટિક શાયરી

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments