Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ રેલવે સ્ટેશનથી હવે 24 કોચની ટ્રેન ઉપાડી શકાશે

Webdunia
સોમવાર, 15 ઑક્ટોબર 2018 (11:46 IST)
અમદાવાદ રેલવે સ્ટેશન પર હાલ ત્રણ ફીટલાઇનના વિસ્તરણની કામગીરી ચાલી રહી છે. જેના થકી હવે ૨૪ કોચની ટ્રેન અમદાવાદથી ચલાવવી શક્ય બનશે. આ કામગીરી પૂર્ણ થયે રાજધાની ટ્રેનને પ્લેટફોર્મ નંબર ૧ પરથી ચલાવી શકાશે. જેના કારણે મુસાફરોને મોટી રાહત મળશે. આ અંગે રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ રાજધાની ટ્રેન હાલ જે પ્લેટફોર્મ નંબર ૧૦ પરથી ચલાવાઇ રહી છે. તેને પ્લેટફોર્મ નંબર ૧ પરથી ચલાવવાની મુસાફરોની માંગણી હતી. જે હવે આગામી વર્ષે પૂર્ણ થાય તેવી શક્યતા છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર ૨૪ કોચની ટ્રેનો દોડાવવી ટેકનીકલી શક્ય નહોતું. હવે સમયની માંગને જોતા ૨૪ કોચની ટ્રેન દોડાવી શકાય તે માટેનું માળખું ઉભુ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ રેલવે સ્ટેશનના પ્રવેશ દ્વારની બાજુમાં ચાર ફીટલાઇનો આવેલી છે. જેમાં અત્યાર સુધી ૧૭ કોચની ટ્રેનની જ મરામત કામગીરી કરી શકાતી હતી. તેમાંથી એક ફીટલાઇનને વિસ્તારીને તેમાં ૨૧ કોચની મરામત કરી શકાય તેવી સુવિધા ઉભી કરાઇ છે. હવે બાકીની ચાર ફીટલાઇનોના વિસ્તરણની કામગીરી ચાલી રહી છે. જ્યાં ૨૧ કોચની ટ્રેન ઉભી રહી શકે તે માટેની કામગીરી આગામી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે. આ ચારેય ફીટલાઇનોમાં ૨૪ કોચની ટ્રેન ઉભી રહી શકે તે માટેની પણ કામગીરી કરાશે. જે આગામી માર્ચ માસ સુધીમાં પૂર્ણ થશે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments