Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ રેલવે સ્ટેશનથી હવે 24 કોચની ટ્રેન ઉપાડી શકાશે

train 24 coach ahamadabad
Webdunia
સોમવાર, 15 ઑક્ટોબર 2018 (11:46 IST)
અમદાવાદ રેલવે સ્ટેશન પર હાલ ત્રણ ફીટલાઇનના વિસ્તરણની કામગીરી ચાલી રહી છે. જેના થકી હવે ૨૪ કોચની ટ્રેન અમદાવાદથી ચલાવવી શક્ય બનશે. આ કામગીરી પૂર્ણ થયે રાજધાની ટ્રેનને પ્લેટફોર્મ નંબર ૧ પરથી ચલાવી શકાશે. જેના કારણે મુસાફરોને મોટી રાહત મળશે. આ અંગે રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ રાજધાની ટ્રેન હાલ જે પ્લેટફોર્મ નંબર ૧૦ પરથી ચલાવાઇ રહી છે. તેને પ્લેટફોર્મ નંબર ૧ પરથી ચલાવવાની મુસાફરોની માંગણી હતી. જે હવે આગામી વર્ષે પૂર્ણ થાય તેવી શક્યતા છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર ૨૪ કોચની ટ્રેનો દોડાવવી ટેકનીકલી શક્ય નહોતું. હવે સમયની માંગને જોતા ૨૪ કોચની ટ્રેન દોડાવી શકાય તે માટેનું માળખું ઉભુ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ રેલવે સ્ટેશનના પ્રવેશ દ્વારની બાજુમાં ચાર ફીટલાઇનો આવેલી છે. જેમાં અત્યાર સુધી ૧૭ કોચની ટ્રેનની જ મરામત કામગીરી કરી શકાતી હતી. તેમાંથી એક ફીટલાઇનને વિસ્તારીને તેમાં ૨૧ કોચની મરામત કરી શકાય તેવી સુવિધા ઉભી કરાઇ છે. હવે બાકીની ચાર ફીટલાઇનોના વિસ્તરણની કામગીરી ચાલી રહી છે. જ્યાં ૨૧ કોચની ટ્રેન ઉભી રહી શકે તે માટેની કામગીરી આગામી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે. આ ચારેય ફીટલાઇનોમાં ૨૪ કોચની ટ્રેન ઉભી રહી શકે તે માટેની પણ કામગીરી કરાશે. જે આગામી માર્ચ માસ સુધીમાં પૂર્ણ થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Beetroot Buttermilk - શું તમે જાણો છો બીટરૂટ છાશ પીવાથી શું થાય છે?

ઘરે વઘારેલી છાશ બનાવો, આ ઉનાળામાં પીણું મિનિટોમાં તૈયાર કરો

Health Tips: કેલ્શિયમની કમી હાડકાને બનાવી દેશે ખોખલા, આજથી જ શરૂ કરી દો આ ઉપાય

Modern Baby Girl Names- છોકરીઓના Modern નામ

Rice Facial: લગ્ન પહેલા દુલ્હનને આ 5 સ્ટેપની મદદથી ચોખાનું ફેશિયલ કરાવવું જોઈએ, અદ્ભુત ચમક આપશે

વધુ જુઓ..

નવીનતમ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

આગળનો લેખ
Show comments