Festival Posters

અમદાવાદથી પસાર થતી 6 ટ્રેનો રદ, 8 ટ્રેનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું

Webdunia
સોમવાર, 11 જાન્યુઆરી 2021 (10:08 IST)
અમદાવાદ વિભાગમાંથી પસાર થતી 6 સ્પેશિયલ ટ્રેનોને રદ કરાઇ છે જ્યારે 8 ટ્રેનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. દક્ષિણ પશ્ચિમ રેલવેના હુબલી વિભાગમાં યાર્ડના રિમોડેલિંગનું કામ ચાલતું હોવાથી કેટલીક ટ્રેનોના સંચાલનને અસર થનાર છે. જેના કારણે આ ટ્રેનોના મુસાફરોને હાલાકી ભોગવવી પડશે. 23 જાન્યુઆરીની કેએસઆર બેંગ્લોર-ગાંધીધામ  અને તા.૨૬ જાન્યુઆરીની ગાંધીધામ-કેએસઆર બેંગ્લોર રદ રહેશે.૨૩ જાન્યુઆરીની જોધપુર-કેએસઆર બેંગ્લોર અને 25 જાન્યુઆરીની કેએસઆર બેંગ્લોર-જોધપુર એક્સપ્રેસ સ્પેશિયલ રદ રહેશે. 24 જાન્યુઆરીની અજમેર-મૈસુર સ્પેશિયલ અને 26 જાન્યુઆરીની મૈસુર-અજમેર રદ રહેનાર છે.  આ ઉપરાંત કેટલીક ટ્રેનોને ડાયવર્ઝન અપાયું છે.જેમાં 22 અને 24 જાન્યુઆરીની યશવંતપુર-બિકાનેર સ્પેશિયલ દાવનગેરે, અમરાવતી, કોટુરૂ, હોસપેટ અને ગડગ સ્ટેશનો થઇને જશે. પરતમાં પણ આ ટ્રેન આ રૂટેથી જ આવશે. 25 જાન્યુઆરીની યશવંતપુર-બાડમેર, 21 જાન્યુઆરીની બાડમેર-યશવંતપુર પણ ઉપરોક્ત વૈકલ્પિક રૂટેથી દોડશે. 22 જાન્યુઆરીની કેએસઆર બેંગ્લોર-અજમેર કુસુગલી અને નોવાલુરૂ થઇને દોડશે. પરતમાં 25 જાન્યુઆરીની આ ટ્રેન પણ આ જ વૈકલ્પિક રૂટેથી દોડશે. 27 જાન્યુઆરીની જોધપુર-કેએસઆર બેંગ્લોર અને 24 જાન્યુઆરીની કેએસઆર બેંગ્લોર-જોધપુર કુસુગલી તથા નાવોલુરૂના રૂટેથે સંચાલિત થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રીના પહેલા દિવસે મખાનાની ખીર બનાવો, દેવી શૈલપુત્રીને અર્પણ કરો, રેસીપી નોંધી લો

Chaitra Navratri Recipe- વ્રતમાં બનાવો સાબૂદાણાનો ચેવડો

Eid Special Recipe- શીર ખુરમા

રોજ રાત્રે સૂતા પહેલા ચાવી લો એક ગ્રીન એલચી, દૂર થશે હેલ્થ સાથે જોડાયેલ અનેક સમસ્યાઓ

15 દિવસ સુધી ખાલી પેટ મેથીનુ પાણી પીવાથી શુ થશે ? અહી જાણી લો શરીર પર શુ અસર પડશે

વધુ જુઓ..

નવીનતમ

લગ્નના 20 વર્ષ પછી દિવ્યાંકા ત્રિપાઠીએ આપી ગુડ ન્યુઝ, પતિ વિવેક દહિયા સાથે શેર કરી સ્પેશ્યલ તસ્વીરો, ખુશીથી ઝૂમી ઉઠ્યા ફેંસ

ગુજરાતી જોક્સ - કેમ નાચી રહ્યા છે

ગુજરાતી જોક્સ - હવે લગ્ન નહીં કરી શકીએ.

ગુજરાતી જોક્સ - નોકરાણી

ભારતના આ મંદિરમાં ઢોસાને પ્રસાદ તરીકે પીરસવામાં આવે છે; કારણ જાણીને તમને નવાઈ લાગશે

આગળનો લેખ
Show comments