Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજના ટીનેજર્સને કાયદા કરતા ભગવાનનો ડર બમણો, 50%ની હેલ્થને પ્રાયોરિટી, 35%ને આરામવાળું કામ કરવું છે

Webdunia
શનિવાર, 25 જૂન 2022 (21:44 IST)
ભારતીય સંસ્કૃતિમાં રહેલા સંસ્કારો અને આદર્શો અંગે આજના યુવાનોના શું મંતવ્યો છે તે મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણનાં માર્ગદર્શનમાં ડો.હસમુખ ચાવડા દ્વારા તરૂણો અને યુવાનોનાં વ્યક્તિગત મૂલ્યો પર સરવે કરવામાં આવ્યો હતો. 720 યુવાનો અને તરૂણો પર થયેલા સરવેમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. જેમાં 54%ને ભગવાનની અને 25%ને કાયદાકીય સજાનો ભય લાગે છે. જ્યારે 50%એ હેલ્થને પ્રાયોરિટી આપી તો 35%ને આરામવાળું કામ કરવું છે. આજની ભાગદોડભરી જિંદગીમાં ટીનેજર્સ ક્યાંકને ક્યાંક ભગવાનની સજાનો ડર રાખતા હોવાનું સરવે પરથી સ્પષ્ટ થાય છે.

કુદરત રૂઠે તો શું કરી શકે તે આપણે કોરોનાકાળમાં જોયું જ હતું. તેમાંય ખાસ કરીને કોરોનાની બીજી લહેરમાં લોકોના ટપોટપ થતા મૃત્યુને લઈ સૌ કોઈને ભગવાનમાં અપાર શ્રદ્ધા જાગી હતી. વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં ખાસ કરીને ટીનેજર્સ કુદરત અને સંસ્કૃતિને વિસરી રહ્યા હોય તેવું આ સરવેના તારણ પરથી સામે આવ્યું નથી. કોઈને કુદરતી આફતોનો તો કોઈને ખોટું કર્યાનો ડર સતાવી રહ્યો છે. આથી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા આજે પણ ટીનેજર્સમાં જોવા મળી રહી છે.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments