Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે કોરોના સામે જીતી જશે ઈંડિયા - દેશમાં 150 દિવસમાં 10 લાખથી વધુ દર્દી સાજા થયા, ફક્ત આ 3 રાજ્યોમાં 53% રિકવરી

Webdunia
ગુરુવાર, 30 જુલાઈ 2020 (11:32 IST)
આખી દુનિયામાં કોરોનાનો કહેર છે, પરંતુ આ દરમિયાન ભારત માટે રાહતના સમાચાર છે. બુધવારે, ભારતમાં કોરોના વાયરસથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1 મિલિયનને વટાવી ગઈ છે. ભારતમાં કોરોના વાયરસની તીવ્ર ગતિએ ફેલાય રહ્યો છે. આવા સંજોગોમાં, સ્વસ્થ થતા દર્દીઓની આ સંખ્યા ખૂબ મોટી આશા જગાવી રહી છે. 
 
બુધવારની રાત સુધી, સમગ્ર ભારતમાં સંક્રમિતોની સંખ્યા 1,582,730 (64.4%) માંથી 1,019,297 લોકો આ બીમારીમાંથી સ્વસ્થ થઈ ચુક્યા હતા, જ્યારે કે 33,236 લોકોના મોત થઈ ચુક્યા છે. હાલમાં, દેશમાં કોરોના વાયરસના 528,459 પોઝિટીવ કેસ કુલ કેસના 33.4% છે. 
 
રિકવર થઈ ચુકેલા કોરોના સંક્રમિતો અને એક્ટિવ કેસોની સંખ્યા વચ્ચેનુ અંતર એ મુખ્ય આંકડો છે જે કોવિડ -19 સામે દેશના લાંબા સમયથી ચાલી રહેલા જંગમાં આશાની કિરણ બતાવે છે. જો કે, આ તફાવત હંમેશાં નહોતો.
 
જો તમે દેશના કોરોના આંકડાઓ પર નજર નાખશો, તો 2 માર્ચ પછી, રિકવર થનારા દર્દીઓની સંખ્યા 10 લાખને પાર કરવામાં 150 દિવસનો સમય લાગ્યો. અહીં નોંધનીય છે કે 25 લાખ રિકવર કરવામાં 114 દિવસનો સમય લાગ્યો હતો. 12 જુલાઇએ ભારતે 750,000 ની રિકવરી કરી લીધી હતી. 
 
દેશભરના કોરોના દર્દીઓમાં 64.4 ટકા લોકોએ કોવિડ દર્દીને હરાવીને સ્વસ્થ થયા છે, જે વૈશ્વિક સરેરાશ 61.9  કરતા વધારે છે. દિલ્હીમાં રિકવરી રેટ ખૂબ સારો છે. દિલ્હીમાં સૌથી વધુ 133,310 લોકો રિકવર થઈ ચુક્યા છે. જ્યારે 89% સાથે રિકવર કરવામાં આવેલ લોકો કરતા વધુ છે. તે જ સમયે, લદાખમાં 80  ટકા લોકો, હરિયાણામાં 78 ટકા, આસામમાં 76 ટકા, તેલંગાણામાં 75 ટકા કોરોના દર્દીઓ સાજા થયા છે. આ પાંચ રાજ્યો એવા રાજ્યો છે રિકવરી પ્રાપ્તિની દ્રષ્ટિએ સૌથી વધુ પ્રમાણ ધરાવે છે.
 
સાથે જ મહારાષ્ટ્રમાં 400,651 કેસમાંથી 239,755 કેસ રિકવર થયા છે. તમિલનાડુના 234,114 કેસોમાંથી, 172,883 કેસ રિકવર થયા છે..  આ રીતે તમિલનાડુ સૌથી વધુ દર્દીઓને ડિસ્ચાર્જ કરનારુ બીજુ રાજ્ય છે. 
 
આ રીતે,જોવા જઈએ તો દેશમાં કોરોના વાયરસથી 53% રિકવરી ફક્ત મહારાષ્ટ્ર, તમિલનાડુ અને દિલ્હીમાં થઈ છે. જો કે, આ વાતને નકારી શકાય નહીં કે કોરોના વાયરસના કારણે આ ત્રણ રાજ્યોમાં સૌથી વધુ વિનાશ પણ સર્જ્યો છે. દેશના કોરોનાના કુલ કેસમા 48.5% આ ત્રણ રાજ્યના છે.
 

સંબંધિત સમાચાર

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

આગળનો લેખ
Show comments