Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાના નવા વેરિએન્ટ BF.7 થી સંક્રમિત ત્રણ દર્દીઓ હોમ આઇસોલેશનમાં થયા સ્વસ્થ

Webdunia
શુક્રવાર, 23 ડિસેમ્બર 2022 (11:16 IST)
કોરોના રોગચાળાના ભય વચ્ચે, ગુજરાત સરકારે દાવો કર્યો છે કે રાજ્યમાં હોમ આઇસોલેશનમાં કોરોનાના નવા પ્રકાર BF-7ના ત્રણ દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં હાલમાં નવા પ્રકારનો એક પણ કેસ નથી. કેન્દ્ર સરકારે એમ પણ કહ્યું છે કે આ વાયરસથી ગભરાવાની જરૂર નથી. વિદેશમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈને ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. રાજ્ય સરકારે હવે અન્ય દેશોમાંથી રાજ્યમાં આવતા મુસાફરોનું ફરજિયાત પરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે.
 
રાજ્યના આરોગ્ય મંત્રી હૃષિકેશ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં કોરોના વાયરસના BF-7 પ્રકારનો પહેલો કેસ 20 સપ્ટેમ્બરના રોજ સામે આવ્યો હતો. અમદાવાદના 60 વર્ષીય વ્યક્તિના નમૂના ગાંધીનગરની સરકારી લેબ GSRBમાં મોકલવામાં આવ્યા હતા. તેને તાવ આવતો હતો. તપાસમાં તેને BF-7 વેરિઅન્ટથી ચેપ લાગ્યો હતો. આ ઉપરાંત વડોદરાની 61 વર્ષીય મહિલા અને અમદાવાદના એક પુરુષને પણ આ નવા વાયરસનો ચેપ લાગ્યો હતો.
 
મળતી માહિતી મુજબ, ત્રણેય દર્દીઓ હોમ આઇસોલેશનમાં સ્વસ્થ થયા હતા. તેથી, લોકોએ તેનાથી ડરવાની જરૂર નથી. લોકો માત્ર આ બાબતે સાવચેત રહે. કોરોના સંક્રમણના વધતા જોખમને ધ્યાનમાં રાખીને સરકારે કહ્યું છે કે રાજ્યની સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટની તપાસ માટે મોકડ્રીલ કરવામાં આવશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે સરકાર કોરોના સામે લડવા માટે ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટમેન્ટની 3-T યોજના પર કામ કરી રહી છે.

સંબંધિત સમાચાર

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments