Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં અકસ્માતની બે ઘટનાઓમાં ત્રણ લોકોના મોત, શાહપુરમાં AMTS બસે વૃદ્ધને કચડ્યા

Webdunia
મંગળવાર, 4 જુલાઈ 2023 (18:30 IST)
ઓઢવ રિંગરોડ પર વયોવૃદ્ધ પુરુષ અને વૃધ્ધાને ટ્રકે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યા
 
અમદાવાદઃ શહેરમાં બેફામ પણે વાહનો ચલાવતાં લોકોને કારણે અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થયો છે. શહેરમાં ફરીવાર AMTS બસની અડફેટે એક વ્યક્તિનું મોત થયું હોવાની ઘટના બની છે. બીજી તરફ ઓઢવ રીંગરોડ પર હિટ એન્ડ રનના બનાવમાં બે લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યાં હોવાની ઘટના પણ સામે આવી છે. એક જ દિવસમાં શહેરમાં અકસ્માતના બે બનાવોમાં ત્રણ લોકો મોતને ભેટ્યાં છે. પોલીસે બસ ચાલકને શોધવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. તે ઉપરાંત બે લોકોને કચડી નાંખનાર ટ્રક ડ્રાઈવરને શોધવા પણ ચક્રો ગતિમાન કર્યાં છે. 
 
શહેરમાં બે અકસ્માતમાં ત્રણ લોકોના મોત
પ્રાપ્ત વિગતો પરમાણે ઓઢવ રિંગરોડ પર પામ હોટેલ સામે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. કલોલ મોટી ભોયણ અને હાજીપુરના વયોવૃદ્ધ પુરુષ અને વૃધ્ધાને ટ્રકે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.મોટી ભોયણના દલાજી ઠાકોર અને હાજીપુરના મગુંબેનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જનાર વાહનચાલક ફરાર થઈ ગયો હતો. બીજી તરફ અમદાવાદના શાહપુર વિસ્તારમાં આજે સવારે એક વૃદ્ધ સાયકલ પર મેટ્રોના બેરીકેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા, તે સમયે પૂર ઝડપે એએમટીએસ બસ ત્યાંથી આવી હતી. બસની અડફેટે આવતા 74 વર્ષીય વૃદ્ધ ગુલામ હુસેન અબ્દુલ હુસેન મોમીન નીચે ફટકાયા હતા અને તેમના પરથી બસનું ટાયર ફરી વળ્યું હતું. આ ગંભીર અકસ્માતમાં વૃદ્ધનું ઘટનાસ્થળ જ મોત નિપજ્યું છે. 
 
પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી
આ બનાવ બાદ બસનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આસપાસના લોકોને ખબર પડતા તેઓ ત્યાં પહોંચી ગયા હતા. બીજી તરફ આ સંદર્ભે મૃતકના પરિવારજનો પણ પોલીસને જાણ કરી હતી. આરોપી સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આરોપી પકડાય ત્યાં સુધી સત્ય શોધવા માટે પોલીસ સીસીટીવી અને અન્ય પુરાવા એકત્ર કરવાની કામગીરી કરી રહી હોવાનો દાવો કરી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments