Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યમાં મમતા દિવસના નામે અઠવાડિયામાં એક દિવસ કોરોના વેક્સિનેશન બંધ રાખવાનો નિર્ણય લેવાયો

Webdunia
મંગળવાર, 6 જુલાઈ 2021 (11:37 IST)
રાજ્યમાં અમદાવાદ સહિતના શહેરોમાં આવતીકાલે બુધવારે કોરોનાની વેક્સિન લોકોને આપવામાં આવશે નહીં. રાજ્યમાં સપ્તાહમાં એક દિવસ કોરોના વેક્સિનેશન બંધ રાખવામાં આવશે. રાજય સરકારના આરોગ્ય વિભાગ મુજબ મમતા દિવસે બાળકોનુ રસીકરણ થઈ શકતુ નથી. જેથી દર બુધવારે કોરોના વેક્સિન હવે આપવામાં આવશે નહીં તેમ સૂત્રોએ જણાવ્યું છે. જો કે સરકાર પાસે વેક્સિનેશનનો મર્યાદિત સ્ટોક હોવાના કારણે આ મમતા દિવસના નામે એક દિવસ રસીકરણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હોવાની ચર્ચા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારી મુજબ બુધવારે કોરોના વેક્સિનેશન બંધ રહેશે. હવે દર અઠવાડિયે એક દિવસ રસીકરણ બંધ રહેવાથી અમદાવાદમાં વેક્સિન ઉપલબ્ધ નહિ હોય. કોરોનાની બીજા લહેર બાદ હવે ત્રીજી લહેરથી બચવા માટે રાજયમાં સરકારે વેક્સિનેશન મહાઅભિયાન શરૂ કર્યું છે. પરંતુ અમદાવાદ શહેરમાં લોકો દરરોજ સવારથી રસી લેવા માટે કેન્દ્ર પર જઈને લાઈનો લગાવે છે. પરંતુ  એક કેન્દ્ર પર 200 જેટલા લોકોને જ વેક્સિન આપવામાં આવે તેટલો સ્ટોક આવ્યો છે. 
 
અમદાવાદ શહેરમાં 400 જેટલા રસીકરણ કેન્દ્રો ઉપર વેક્સિન આપવામાં આવે છે. શહેરમાં સોમવારે 33 હજાર 981 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. સોમવારે 18થી 44 વય જૂથના 16,691 અને 45 વર્ષ ઉપરના 12,258 લોકોને વેક્સિન અપાઈ હતી. 60 વર્ષથી ઉપરના માત્ર 3033 લોકોને જ વેક્સિન આપવામાં આવી હતી. સુપરસ્પ્રેડર કેટેગરીમાં આવતા 1125 લોકોને વેકસીન આપવામાં આવી હતી. અત્યાર સુધી 17,194 જેટલા સુપરસપ્રેડર કેટેગરીમાં આવતા લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે. રાજયમાં એક દિવસ વેક્સિન બંધ રહેતા દિવાળી સુધીમાં દરેક અમદાવાદી વેક્સિનનો પહેલો ડોઝ મેળવશે તેવો ટાર્ગેટ પૂરો નહિ થાય.  અમદાવાદની વસતી અંદાજે 60 લાખની આસપાસ છે. પરંતુ અત્યાર સુધી માત્ર 6 લાખ લોકોએ કોરોનાની રસીના બે ડોઝ લીધા છે. આનો અર્થ એ થયો કે માત્ર 10 ટકા વસતીએ બે  ડોઝ લીધા છે. જ્યારે અંદાજે 54 લાખ લોકોએ હજુ બંને ડોઝ પૂરા કરવાના બાકી છે. કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા વચ્ચે બચાવનો એકમાત્ર ઉપાય રસી છે. જો કે, અત્યાર સુધી લગભગ 24 લાખ લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. જ્યારે બંને ડોઝ લેનારાની સંખ્યા 6 લાખની આસપાસ છે.

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments