Webdunia - Bharat's app for daily news and videos

Install App

પોલીસની સમજદારીએ યુવકનો બચાવ્યો જીવ, આપઘાતનો મેસેજ મળતા જ પોલીસ ટીમ નરોડાથી મોડાસા દોડી

Webdunia
મંગળવાર, 11 એપ્રિલ 2023 (17:11 IST)
આજકાલ દેશમાં આત્મહત્યા કરી જીવન ટૂંકાવતા ઘણા બધા કેસો સામે આવે છે. આ ઘટનામાં મોટા ભાગે યુવાવયના લોકો જોવા મળે છે. જેને રોકવા માટે સરકાર પણ ઘણા બધા પ્રયત્નો કરે છે. સરકારે તેના માટે એક હેલ્પલાઇન પણ શરૂ કરી છે.

હાલ એક એવી જ ઘટના બનતા પહેલા પોલીસે તેને અટકાવી હતી. બેંકમાં કામ કરતા એક મેનેજર તેની પત્નીને એવો મેસેજ કર્યો કે,  આત્મહત્યા કરવા માટે જઉં છું. જે બાદ પોલીસ એક કલાકની મેહનત બાદ હેમખેમ બચાવી લીધો હતો અને આત્મહત્યા નહીં કરવા માટેનું સમજાવ્યું હતું. નરોડા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સપેક્ટર એસ.જે.ભાટીયા પોતાની ફરજ પર હાજર હતા, ત્યારે એક મહિલા આવી હતી અને પીઆઇને તેના પતિએ કરેલો મેસેજ વંચાવ્યો હતો. મેસેજ વાંચીને પીઆઇ ભાટીયા એલર્ટ મોડ પર આવી ગયા હતા. મોબાઇલનું લોકેશન મળતાની સાથે જ યુવકને શોધવા ટીમો તૈયાર કરી લીધી હતી. યુવકે ફોન ચાલુ કર્યો ત્યારે લોકેશન મોડાસાનું આવ્યું હતું.મોડાસા લોકેશન મળતા પોલીસની એક ટીમ ત્યાં જવા માટે રવાના થઇ ગઇ હતી. આ દરમિયાનમાં યુવક આપઘાત કરી ના લે તે માટે પીઆઇ ભાટીયાએ તરત જ મોડાસા પોલીસને પણ લોકેશન મોકલીને જાણ કરી દીધી હતી. મોડાસા પોલીસે લોકેશનના આધારે યુવકની અટકાયત કરીને સ્થળ પર જ રોકી રાખ્યો હતો.માત્ર એક કલાકમાં નરોડા પોલીસ મોડાસામાં યુવક પાસે પહોંચી ગઇ હતી. તે યુવકને લઇ પોલીસ પરત નરોડા પોલીસ સ્ટેશન આવી.  નરોડા પોલીસે વેદના સમજી અને તરત જ એલર્ટ મોડ પર આવી હતી. જેના કારણે યુવકને આપધાત કરતા રોકી લીધો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિ સાથે જોડાયેલો મોટો ખુલાસો, જાણો કોણ છે અને આરોપી ક્યાંનો છે

સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિની થાણેથી ધરપકડ કરવામાં આવી, આરોપીએ ગુનો કબૂલ્યો.

અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર શંકાસ્પદ છત્તીસગઢથી પકડાયો

Aman Jaiswal Death: ટીવી અભિનેતાનુ 23 વર્ષની વયે મોત, બલિયામાં થશે અંતિમ સંસ્કાર

Arjun Kapoor ની સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત પડવાથી 6 લોકો થયા ઘાયલ

વધુ જુઓ..

નવીનતમ

મિરર વર્ક આઉટફિટ પહેરવાનું મન થાય છે, ગુજરાતના આ સ્થળોની શોધખોળ કરો

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

યૂરિક એસિડમાં લાભકારી છે મૂળા, ઉપયોગ પહેલા જ ઓગળવા માંડે છે જોઈંટ્સ પર ચોંટેલા Purine ના પત્થર, જાણો કેવી રીતે કરશો સેવન ?

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

આગળનો લેખ
Show comments