Webdunia - Bharat's app for daily news and videos

Install App

આરોગ્ય મંત્રીએ કહ્યું કોરોનાનો ખતરો ટળ્યો નથી, કેસ વધતા ટેસ્ટિંગ પણ વધ્યું છે, કેન્દ્ર પાસે વેક્સિનની માગ કરી છે

Webdunia
શનિવાર, 1 એપ્રિલ 2023 (15:06 IST)
રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં વધતા જતા કોરોનાના કેસ અંગે નિવેદન આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે હાલ પરિસ્થિતિ કાબુમાં છે, ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે જેમાં કોરોનાની સાથે સાથે નવા ફલૂ અંગે પણ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે લોકોએ કોરોનની સાથે રહેવાનું છે ડરવાનું નથી પણ સાવચેત રહેવું જરૂરી છે જો કે વેક્સિનનો જથ્થો ન હોવાથી કેન્દ્ર સરકાર પાસે વેક્સિનની માંગણી કરવામાં આવી છે જે આવતા દિવસોમાં જેમ જેમ મળશે તેમ તેમ વેક્સિનેશન પણ શરૂ કરવામાં આવશે.

રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે જેની સાથે સાથે શરદી ઉધરસ તાવ અને ગળામાં બળવું જેવા લક્ષણો સાથે દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં 338 કેસ નોંધાયા છે જેમાં 5 દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. જેમાં રાજકોટમાં એક્ટિવ કેસની સંખ્યા 168 છે જેની સામે ગુજરાત રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2000ને પાર પહોંચી છે.

રાજ્યમાં વધતા જતા કોરોનના કેસને લઇ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાના કેસ જરૂર વધી રહ્યા છે પરંતુ પરિસ્થિતિ કાબુમાં છે પૂરતી દવાનો જથ્થો પણ ઉપલબ્ધ છે. ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે જેમાં કોરોનાની સાથે સાથે અન્ય ફ્લુનું પણ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. લોકોએ કોરોનથી ડરવાની જરૂર નથી તેની સાથે રહેતા શીખવાનું છે. જો કે સાથે સાથે લોકોએ સાવચેત રહેવું પણ જરૂરી છે જે લોકોને કોરોના લક્ષણ જણાય તો સાવચેતીના ભાગરૂપે વારંવાર હાથ ધોવા, સેનેટાઇઝર અને માસ્કનો ઉપયોગ કરવો..

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments